મધ્યપ્રદેશ અને આસામ વચ્ચે, વન્યજીવન પર્યટનમાં ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે, ખાસ પહેલ કરવામાં આવશે: મોહન યાદવ
- મુખ્યમંત્રી કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાતે, ચાના બગીચાના કામદારો સાથે સૌહાર્દપૂર્ણ વાતચીત કરી ભોપાલ, નવી દિલ્હી, ૦5 ઓક્ટોબર (હિ.સ.) આસામની મુલાકાત દરમિયાન, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે રવિવારે, વિશ્વ વિખ
કાજીરંગા


- મુખ્યમંત્રી

કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાતે, ચાના બગીચાના કામદારો સાથે સૌહાર્દપૂર્ણ વાતચીત કરી

ભોપાલ, નવી દિલ્હી, ૦5 ઓક્ટોબર (હિ.સ.)

આસામની મુલાકાત દરમિયાન, મધ્યપ્રદેશના

મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે રવિવારે, વિશ્વ વિખ્યાત કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અને

ચાના બગીચાઓની મુલાકાત લીધી. તેમણે બગીચાઓમાં ચા ઉત્પાદન પ્રક્રિયાનું અવલોકન

કર્યું અને સ્થાનિક ખેડૂતો અને શ્રમિક મહિલાઓ સાથે સૌહાર્દપૂર્ણ વાતચીત કરી.

મુખ્યમંત્રી ડૉ. યાદવે જણાવ્યું કે,” ચા ઉદ્યોગ આસામના ગૌરવ

અને અર્થતંત્રનું પ્રતીક છે. સખત મહેનત, સ્નેહ અને સરળતાની ભૂમિ, આસામ અને મધ્યપ્રદેશ વેપાર અને ઉદ્યોગ તેમજ ઇકો-ટુરિઝમ અને

વન્યજીવન પર્યટનમાં સહયોગ,

વિશ્વાસ અને

ભાગીદારી વધારવા માટે ખાસ પહેલ કરશે.”

મુખ્યમંત્રીએ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં, મનમોહક કુદરતી

સૌંદર્ય અને વન્યજીવન સંરક્ષણ જોયું અને હાથીઓને શેરડી ખવડાવીને પ્રેમથી લાડ

લડાવ્યા. તેમણે વન્યજીવન સંરક્ષણમાં, નવીનતાઓ વિશે માહિતી મેળવી અને ઉદ્યાનના ભ્રમણ

દરમિયાન એક અજગરને તેના કુદરતી નિવાસસ્થાનમાં છોડી દીધો.

ઉલ્લેખનીય છે કે, કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન પૂર્વીય

હિમાલયની જૈવવિવિધતાનું કેન્દ્ર છે, જેમાં એક શિંગડાવાળા ગેંડાનો સમાવેશ થાય છે. તેને યુનેસ્કો

વર્લ્ડ હેરિટેજ સાઇટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ ઉદ્યાનમાં હાથી, જંગલી ભેંસ, સ્વેમ્પ હરણ અને

વિવિધ પક્ષીઓની પ્રજાતિઓ રહે છે. આ ઉદ્યાન તેની વિશાળ વન્યજીવ વસ્તી અને વન્યજીવન

સંરક્ષણ પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત છે.

હિન્દુસ્થાન સમાચાર / ઉમ્મેદ સિંહ રાવત / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande