મધ્યપ્રદેશના છિંદવાડામાં 11 બાળકોના મોત બાદ, કફ સિરપ લખવા બદલ ડોક્ટરની ધરપકડ
- કફ સિરપ બનાવતી શ્રીસન ફાર્માસ્યુટિકલ કંપની સામે પણ એફઆઈઆરદાખલ છિંદવાડા/ભોપાલ, નવી દિલ્હી,05 ઓક્ટોબર (હિ.સ.) મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના પારસિયા વિસ્તારમાં કફ સિરપ પીવાથી 11 બાળકોના મોત બાદ વહીવટીતંત્રે આખરે મોટી કાર્ય
સીરપ


- કફ સિરપ બનાવતી

શ્રીસન ફાર્માસ્યુટિકલ કંપની સામે પણ એફઆઈઆરદાખલ

છિંદવાડા/ભોપાલ, નવી દિલ્હી,05 ઓક્ટોબર (હિ.સ.)

મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના પારસિયા વિસ્તારમાં કફ સિરપ પીવાથી 11 બાળકોના મોત

બાદ વહીવટીતંત્રે આખરે મોટી કાર્યવાહી કરી છે. શનિવારે મોડી રાત્રે પરસિયા પોલીસ

સ્ટેશનમાં ડૉ. પ્રવીણ સોની અને શ્રીસન ફાર્માસ્યુટિકલ કંપની (કાંચીપુરમ, તમિલનાડુ)

વિરુદ્ધ એફઆઈઆરદાખલ કરવામાં આવી

હતી.

આ પછી, પોલીસ અધિક્ષક દ્વારા રચાયેલી એક ખાસ પોલીસ ટીમે ગઈકાલે

મોડી રાત્રે છિંદવાડાના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના રાજપાલ ચોકમાંથી ડૉ.

પ્રવીણ સોનીની ધરપકડ કરી હતી. તે જ ડૉક્ટર હતા જેમણે બાળકોને ઘાતક કફ સિરપ લખી આપી

હતી. આરોગ્ય વિભાગના બીએમઓડૉ. અંકિત સલામની ફરિયાદ પર આ કાર્યવાહી કરવામાં આવી હતી.

હકીકતમાં, શનિવારે તમિલનાડુથી કફ સિરપના નમૂના મળ્યા હતા. કોલ્ડ્રિફ

કફ સિરપમાં ડાયથિલિન ગ્લાયકોલનું પ્રમાણ વધુ હોવાની પુષ્ટિ થયા બાદ, બીએમઓ ડૉ.

સલ્લમની ફરિયાદના આધારે, પોલીસે ડૉ.

પ્રવીણ સોની અને કંપની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 276 (દવાઓની ભેળસેળ), ભારતીય દંડ

સંહિતા (આઈપીસી) ની કલમ 105(3)

(ગુનાહિત હત્યા), અને ડ્રગ્સ અને

કોસ્મેટિક્સ અધિનિયમ,

1940 ની કલમ 27(a)(iii) અને 26 હેઠળ કેસ

નોંધ્યો. આ જોગવાઈઓમાં 10 વર્ષથી લઈને

આજીવન કેદ સુધીની સજા છે.

ત્યારબાદ, શનિવારે મોડી રાત્રે, પોલીસે કફ સિરપ લખનારા ડૉ. પ્રવીણ સોનીની ધરપકડ કરી.

બીએમઓ ડૉ. સલ્લમે જણાવ્યું હતું કે,”મામલાની

ગંભીરતાને ધ્યાનમાં રાખીને,

પોલીસે ડૉક્ટર

અને કંપની વિરુદ્ધ તપાસ વધુ તીવ્ર બનાવી છે. પ્રાથમિક પુરાવાના આધારે, બાળકોની સારવાર

માટે વપરાતી દવાના નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાં તે

ભેળસેળયુક્ત હોવાનું બહાર આવ્યું હતું. રિપોર્ટના આધારે, એફઆઈઆર નોંધવામાં

આવી છે.”

તેમણે જણાવ્યું હતું કે,” આરોગ્ય વિભાગ સમગ્ર મામલાને ખૂબ જ

ગંભીરતાથી લઈ રહ્યું છે. બાળકોના મૃત્યુ પાછળનું સત્ય બહાર લાવવા માટે વૈજ્ઞાનિક

અને તબીબી બંને સ્તરે તપાસ ચાલી રહી છે.”

ઉલ્લેખનીય છે કે, પરાસિયા વિકાસ કોલોનીમાં કિડની ફેલ થવાને

કારણે અત્યાર સુધીમાં 11 બાળકોના મોત થયા છે, અને ઘણા અન્ય હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બાળકો

એક થી પાંચ વર્ષની ઉંમરના છે. તેઓ શરદી, ખાંસી અને તાવથી પીડાતા હતા. તે બધા બાળરોગ નિષ્ણાત ડૉ.

પ્રવીણ સોનીના ક્લિનિકની મુલાકાતે ગયા હતા.

ડૉક્ટરે ઘણા બાળકોને કોલ્ડરિફ કફ સિરપ લખી આપ્યું. બાળકોએ

દવા લીધી, તેમનો તાવ ઓછો થઈ

ગયો, અને તેમની કફ દૂર

થઈ ગઈ, પરંતુ બે દિવસ

પછી, તેઓએ પેશાબ

કરવાનું બંધ કરી દીધું. પરિવારોએ છિંદવાડાથી નાગપુર સુધી સારવાર લીધી, પરંતુ તેમના જીવ

બચી શક્યા નહીં. એવો આરોપ છે કે, બાળકોની સ્થિતિ ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલી કફ

સિરપને કારણે થઈ હતી, જે ચાર વર્ષથી

ઓછી ઉંમરના બાળકો માટે ભલામણ કરવામાં આવતી ન હતી.

મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે 11 બાળકોના મૃત્યુને, દુ:ખદ

જાહેર કર્યું છે અને પ્રત્યેકને 04-04 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી

છે.

હિન્દુસ્થાન સમાચાર/મુકેશ તોમર/સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande