ફરી અમદાવાદમાં કારચાલકનો નશો કરી અકસ્માત, ત્રણ વાહનોને અડફેટે લીધા
- કાર ચાલકે અકસ્માત કર્યો પરંતુ હજુ સુધી કોઈને ઈજા પહોંચ્યું હોય તેવું ધ્યાન પર આવ્યું નથી.કોઈ ફરિયાદી કારચાલક વિરુદ્ધ ફરિયાદ કરવા આવ્યા નથી. અમદાવાદ,8 ઓકટોબર (હિ.સ.): અમદાવાદ અને ગુજરાતમાં દિવસે દિવસે નશો કરી અકસ્માત કરવાના બનાવ વધી રહ્યા છે.
ફરી અમદાવાદમાં કારચાલકનો નશો કરી અકસ્માત, ત્રણ વાહનોને અડફેટે લીધા


- કાર ચાલકે અકસ્માત કર્યો પરંતુ હજુ સુધી કોઈને ઈજા પહોંચ્યું હોય તેવું ધ્યાન પર આવ્યું નથી.કોઈ ફરિયાદી કારચાલક વિરુદ્ધ ફરિયાદ કરવા આવ્યા નથી.

અમદાવાદ,8 ઓકટોબર (હિ.સ.): અમદાવાદ અને ગુજરાતમાં દિવસે દિવસે નશો કરી અકસ્માત કરવાના બનાવ વધી રહ્યા છે. ફરી ગતરાત્રિએ અમદાવાદના મધુપુર વિસ્તારમાં એક કારચાલકે નશાની હાલતમાં બેફામ સ્પીડે ડ્રાઈવીંગ કરી અકસ્માત સર્જયો હતો. સદનસીબે અકસ્માતમાં કોઈને જાનહાનિ થઈ ન હતી. પરંતુ, અકસ્માતના કારણે ઉશ્કેરાયેલા ટોળાએ કારચાલકને આંતરીને કારમાં તોડફોડ કરી હતી. અકસ્માત સર્જનાર કારચાલક ધવલ પટેલ સામે એલ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદના માધુપુરા પાસે ગઈકાલે રાતના સમયે i10 કારના ચાલકે નશાની હાલતમાં અકસ્માત કર્યો હતો.અકસ્માત દરમિયાન બે ત્રણ વાહનોને કાર ઠોકી હતી.જોકે અકસ્માતમાં કોઈપણને ઇજા પહોંચી ન્હોતી. પરંતુ અકસ્માત થતા લોકો કારચાલક સામે રોષે ભરાયા હતા.લોકોના ટોળાથી બચવા કારચાલક કાર લઈને સફલ 6 બિલ્ડિંગમાં ઘૂસી ગયો હતો.જે બાદ લોકોનું ટોળું કારચાલકની પાછળ પાછળ દોડ્યું હતું લોકોના ટોળાએ કાર ચાલકને બિલ્ડિંગમાં રોકીને કારને ચારે તરફથી ઘેરીને કાર પર લાકડીઓ વરસાવી હતી. લોકોએ કારમાં ખૂબ જ તોડફોડ કરી હતી.

આ અંગે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસને જાણ થતા ટ્રાફિક પોલીસ પર સ્થળ પર પહોંચી હતી. પોલીસે નવા વાડજમાં રહેતા ધવલ પટેલ નામના કારચાલકનો કબજો મેળવીને કાર જપ્ત કરી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી કાર ચાલકની ધરપકડ કરી છે. એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ સુનીતા પટેલે જણાવ્યું હતું કે, કાર ચાલકે અકસ્માત કર્યો પરંતુ હજુ સુધી કોઈને ઈજા પહોંચ્યું હોય તેવું ધ્યાન પર આવ્યું નથી.કોઈ ફરિયાદી કારચાલક વિરુદ્ધ ફરિયાદ કરવા આવ્યા નથી. કારચાલક નશાની હાલતમાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. કાર ચાલકની ધરપકડ કરી તપાસ કરવામાં આવી રહી છે

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande