ભુણાવથી વૈશ્વિક સ્તર સુધી — પદ્મશ્રી ડૉ. ગણપત પટેલનું શિક્ષણ માટે 250 કરોડથી વધુ દાન, પ્રેરણારૂપ ગાથા
મહેસાણા, 8 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા જિલ્લાના ભુણાવ ગામમાં જન્મેલા પદ્મશ્રી ડૉ. ગણપત પટેલે પોતાના જીવનમાં અદ્ભુત સફર કરી છે — સામાન્ય ખેડૂત પરિવારથી શરૂ કરીને વૈશ્વિક સ્તરે ઉદ્યોગપતિ અને શિક્ષણક્ષેત્રના દિશાદર્શક તરીકે ઉભરેલા છે. 1945માં જન્મેલા ગણપ
ભુણાવથી વૈશ્વિક સ્તર સુધી — પદ્મશ્રી ડૉ. ગણપત પટેલનું શિક્ષણ માટે 250 કરોડથી વધુ દાન, પ્રેરણારૂપ ગાથા


ભુણાવથી વૈશ્વિક સ્તર સુધી — પદ્મશ્રી ડૉ. ગણપત પટેલનું શિક્ષણ માટે 250 કરોડથી વધુ દાન, પ્રેરણારૂપ ગાથા


ભુણાવથી વૈશ્વિક સ્તર સુધી — પદ્મશ્રી ડૉ. ગણપત પટેલનું શિક્ષણ માટે 250 કરોડથી વધુ દાન, પ્રેરણારૂપ ગાથા


મહેસાણા, 8 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા જિલ્લાના ભુણાવ ગામમાં જન્મેલા પદ્મશ્રી ડૉ. ગણપત પટેલે પોતાના જીવનમાં અદ્ભુત સફર કરી છે — સામાન્ય ખેડૂત પરિવારથી શરૂ કરીને વૈશ્વિક સ્તરે ઉદ્યોગપતિ અને શિક્ષણક્ષેત્રના દિશાદર્શક તરીકે ઉભરેલા છે. 1945માં જન્મેલા ગણપતભાઈએ અમેરિકા જઈ ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ચેરોકી ઇન્ટરનેશનલ જેવી વૈશ્વિક કંપનીની સ્થાપના કરી, જેને 2004માં *જનરલ ઇલેક્ટ્રિક (GE)*એ અધિગ્રહિત કરી હતી. ઉદ્યોગ ક્ષેત્રમાં પ્રભુત્વ મેળવ્યા બાદ તેમણે જીવન શિક્ષણ માટે સમર્પિત કર્યું અને 2005માં ગણપત યુનિવર્સિટીની સ્થાપના કરી, જે આજે ઉત્તર ગુજરાતનું શ્રેષ્ઠ શૈક્ષણિક કેન્દ્ર બની છે.

ડૉ. પટેલે અત્યાર સુધીમાં વ્યક્તિગત રીતે અંદાજે 250 કરોડ રૂપિયાથી વધુ દાન શિક્ષણ માટે આપ્યું છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા અને અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલી અનેક શૈક્ષણિક સંસ્થાઓને તેમના દાનથી લાભ મળ્યો છે. કેલિફોર્નિયામાં તેઓ શિક્ષણ ક્ષેત્રે ત્રીજા સૌથી મોટા દાતાશ્રી ગણાય છે. તેમની દાતાશ્રી અહીં પૂરી થતી નથી — તેમણે ભવિષ્યમાં 500 કરોડ રૂપિયાના વધુ દાનનું વચન આપ્યું છે. ડૉ. ગણપત પટેલનું જીવનદર્શન યુવાનો માટે પ્રેરણારૂપ છે કે સમર્પણ અને સંકલ્પથી ગામથી વૈશ્વિક મંચ સુધી પહોંચવું શક્ય છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande