ગીર સોમનાથ ૮ ઓક્ટોબર (હિ.સ.) જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાય તથા ભૂસ્તરશાસ્ત્રીના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા છેલ્લા થોડા સમયથી બિનઅધિકૃત ખનીજના વહન સબબ અનેક વાહનોને પકડવામાં આવ્યા છે અને તેને દંડ ફટકારવામાં આવે છે.
આજ કડીમાં આજે સૂત્રાપાડા તથા વેરાવળ તાલુકામાં સઘન ચેકીંગની કામગીરી હાથ ધરી કુલ ૦૪ વાહનને બિન અધિકૃત રીતે વહન સબબ અટકાયત કરી રૂ.૫.૬૮ લાખની નિયમો અનુસાર દંડની રકમ વસૂલાત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ