જામનગરમાં પતિના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો
જામનગર, 8 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરમાં રણજીત સાગર રોડ પર રહેતી એક પરિણીતાના ગળાફાંસા દ્વારા આત્મહત્યાના પ્રકરણમાં પતિ સાથેનો ઝઘડો કારણભૂત હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે. જામનગરમાં રણજીત સાગર રોડ પર મયુરબાગમાં રહેતી ઇલાબેન હાર્દિકભાઈ ઘાડિય
મૃત્યુ આપઘાત પ્રતીકાત્મક તસવીર


જામનગર, 8 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરમાં રણજીત સાગર રોડ પર રહેતી એક પરિણીતાના ગળાફાંસા દ્વારા આત્મહત્યાના પ્રકરણમાં પતિ સાથેનો ઝઘડો કારણભૂત હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે. જામનગરમાં રણજીત સાગર રોડ પર મયુરબાગમાં રહેતી ઇલાબેન હાર્દિકભાઈ ઘાડિયા નામની 35 વર્ષની પરિણીતાએ ત્રણેક દિવસ પૂર્વે રાત્રે પોતાના ઘેર પંખાના હુકમાં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવની તપાસ કરતાં ઇલાબેન કે જેઓએ પોતાના પતિ સાથે ઘરમાં નાની-નાની બાબતોમાં બોલાચાલી અને ઝઘડો થયો હોવાથી મનમાં લાગી આવતાં આપઘાત નું પગલું ભરી લીધા નું જાહેર થયું છે. જે મામલામાં સીટી એ-ડિવિઝનની પોલીસ ટીમ વધુ તપાસ ચલાવી રહી છે, અને ઇલાબેનના મૃત્યુ ની પાછળ પતિ સાથેનો ઝઘડો કારણભૂત હોવાનું જાહેર થયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande