ગીરગઢડા તાલુકામાં પશુપાલકોને ઘાસનું વિતરણ પ્રારંભ કરાવતા ધારાસભ્ય કાળુ રાઠોડ ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રીનો સંપર્ક કરવા અનુરોધ
ગીર સોમનાથ, 15 નવેમ્બર (હિ.સ.) જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ગીર સોમનાથ જિલ્લામાં પશુઓ માટે ઘાસ-ચારાની જરૂરિયાત ઉભી થઈ હોવાથી રાજ્ય સરકારના હકારાત્મક અભિગમને પગલે જિલ્લા ઘાસના જથ્થાની ફાળવણી કરવામાં આવી છે. આજે ગીર ગઢડા તાલુકામાં પશુ-પાલકોને પોતા
ગીરગઢડા તાલુકામાં પશુપાલકોને


ગીર સોમનાથ, 15 નવેમ્બર (હિ.સ.) જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ગીર સોમનાથ જિલ્લામાં પશુઓ માટે ઘાસ-ચારાની જરૂરિયાત ઉભી થઈ હોવાથી રાજ્ય સરકારના હકારાત્મક અભિગમને પગલે જિલ્લા ઘાસના જથ્થાની ફાળવણી કરવામાં આવી છે.

આજે ગીર ગઢડા તાલુકામાં પશુ-પાલકોને પોતાના ઢોર માટે ગીરગઢડા ખાતેથી ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની ઉપસ્થિતિમાં પશુપાલકોને ઘાસ વિતરણનો પ્રારંભ કરાવ્યો હતો.

જિલ્લાના અસરગ્રસ્ત પશુપાલકોને ઘાસ-ચારો મેળવવા માટે ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રીનો સંપર્ક કરવા ગીર ગઢડા મામલતદાર ઓફિસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande