સુરતમાં ગટરના પાણીમાં ધાણા ધોવાના વીડિયોથી હંગામો, મનપા તપાસમાં આગળ
સુરત, 2 નવેમ્બર (હિ.સ.) : સુરતમાં ફરી એક વખત સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી અંગે પ્રશ્નો ઊભા થયા છે. શહેરના સહારા દરવાજા વિસ્તારમાં એક શાકભાજી વેચાણદાર લીલા ધાણાને ગટરના ગંદા પાણીમાં ધોતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. આ વીડિયો પસાર થન
Surat


સુરત, 2 નવેમ્બર (હિ.સ.) : સુરતમાં ફરી એક વખત સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી અંગે પ્રશ્નો ઊભા થયા છે. શહેરના સહારા દરવાજા વિસ્તારમાં એક શાકભાજી વેચાણદાર લીલા ધાણાને ગટરના ગંદા પાણીમાં ધોતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. આ વીડિયો પસાર થનારા એક બાઈક સવાર દ્વારા મોબાઈલ કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો.

જાણકારી મુજબ, આ છેલ્લા ચાર મહિનામાં આવી બીજી ઘટના છે. જુલાઈમાં પણ એક વિક્રેતા દ્વારા ગંદા પાણીમાં શાકભાજી ધોવાનું બહાર આવ્યું હતું, જેના કારણે નાગરિકોમાં રોષ જોવા મળ્યો હતો.

વિડિયો વાયરલ થતા જ મનપા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયો છે. આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગરે જણાવ્યું કે ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને દોષિત સામે કાયદેસર પગલાં લેવામાં આવશે.

અધિકારીઓએ ચેતવણી આપી છે કે ગંદા પાણીમાં ધોયેલા શાકભાજીનું સેવન કરવાથી ટાઈફોઈડ, ફૂડ પોઈઝનિંગ અને અન્ય પેટના રોગો ફેલાવાનો ખતરો વધે છે.

સ્થાનિક લોકોનું માનવું છે કે જો આવા કિસ્સાઓ સામે કડક કાર્યવાહી નહિ થાય તો નાગરિકોના આરોગ્ય સાથે રમખાણ કરવા વાળા લોકો હિમ્મત પામશે. ઘણા નાગરિકોએ આવી પ્રવૃત્તિ કરનાર વેચાણદાર પર કડક દંડ અને લાઈસન્સ રદ્દ કરવાની માંગ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande