માનવતા વિરુદ્ધ વર્તન કરનાર સામે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા એક્શન મોડમાં
-“પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી ગાંધીનગર, 7 નવેમ્બર (હિ.સ.) : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ અને આરોગ્ય
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા


-“પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી

ગાંધીનગર, 7 નવેમ્બર (હિ.સ.) : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના સુચન મુજબ, સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્ય સ્તરે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આકસ્મિક નિરીક્ષણ દરમ્યાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું જણાતાં 4 ખાનગી હોસ્પિટલમાંથી 2 હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 2 હોસ્પિટલને કારણદર્શક નોટિસ પાઠવામાં આવી છે.

હોસ્પિટલવાઈઝ કાર્યવાહીનો વિગતવાર અહેવાલ

૧. દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ અને નીઓનેટલ કેર, ગોધરા, પંચમહાલ (HOSP24T130518)

સ્થિતિ: સસ્પેન્ડ

PICU અને NICU માટે જરૂરી માપદંડોની પૂર્તતા નહોતી

એક્સપાયર્ડ દવાઓ મળી

MBBS ડોકટર હાજર નહોતા

લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું

ઇન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન નહોતું

૨. કાશીમા હોસ્પિટલ, ભરુચ (HOSP24T170981)

સ્થિતિ: સસ્પેન્ડ

PICU અને NICU માટેની માપદંડ પૂરા નહોતા

ઇન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન નહોતું

લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું

નર્સિંગ સ્ટાફ કવોલીફાઈડ નહોતાં

બપોરના ૧૨ વાગ્યા સુધી તબીબી અધિકારી હાજર નહોતા

BU પરમીશન અને ફાયર NOC ઉપલબ્ધ નહોતાં

૩. મા ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલ, કાલોલ, પંચમહાલ (HOSP24T132829)

સ્થિતિ: કારણદર્શક નોટિસ આપવામાં આવેલ

લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું

૪. મા ચિલ્ડ્રન અને નીઓનેટલ કેર, દેવગઢ બારિયા, દાહોદ (HOSP24T148571)

સ્થિતિ: કારણદર્શક નોટિસ આપવામાં આવેલ

NICU માં એક્સપાયર્ડ દવાઓ મળી

હોસ્પિટલ દ્વારા CCTV ફૂટેજ આપવા ઈનકાર કર્યો

લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું

આ બાબતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મોડી રાત્રે નિવેદન આપતા જણાવ્યું કે રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને વધુ સુચારૂ, પારદર્શક અને લોકહિતકારી બનાવવા સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ક્ષેત્રે માનવતાને પ્રથમ સ્થાન આપવાનો સંકલ્પ છે. પી.એમ.જે.એ.વાય.-મા યોજના એ ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે, તેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે.

વધુમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે – “ભવિષ્યમાં પણ સરકારી યોજનામાં માનવ સેવા વિરુદ્ધ વર્તન કરનાર હોસ્પિટલ સામે રાજ્ય સરકાર કડકથી કડક પગલાં લેતી રહેશે.”

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande