



પોરબંદર, 8 નવેમ્બર (હિ.સ.) : રાજયમાં કમોસમી વરસાદ બાદ સરકાર દ્રારા રૂ.10 હજાર કરોડનુ રાહત પેકેજ જાહેર કર્યુ છે. ત્યારે પોરબંદર જિલ્લાના ખેડુતોએ સહાય પેકેજને લઈ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે કુદરતે રૂઠયો છે. જેના કારણે ખેડુતો મુશ્કેલીમા મુકાયા છે. ત્યારે જેમના પર ભરોસો હતો તે સરકાર પણ જાણે રૂઠી હોય તેમ હેકટર દીઠ માત્ર રૂ. 22 હજારની સહાય જાહેર કરી છે. આ સમયથી ખેડુતો બેઠો થશે સરકાર દ્રારા પચાસ ટકા સહાય આપવામા આવે અથવા દેવુ માફ કરવામા આવે તો જ ખેડુતો બેઠો ગઈ શકે પોરબંદર જીલ્લાની વાત કરીએ તો સૌથી વધારે મગફળીનુ વાવેતર થયુ હતુ પાક તૈયાર થયા બાદ કમોસમી વરસાદ થતા મગફળી સહિતનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે હવે સરકારે જ સહાય જાહેર કરી છે તેને ખેડુતોએ મશ્કરીરૂપ ગણાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya