


ભરૂચ, 8 નવેમ્બર (હિ.સ.) : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એકતાનગરના સર્કિટ હાઉસ ખાતે આગમન કરતા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ પુષ્પગુચ્છ અર્પણ કરી ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યાર પોલીસ દળ દ્વારા રાજ્યપાલને પ્રોટોકોલ મુજબ સલામી આપવામાં આવી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એકતાનગરના સર્કિટ હાઉસ પર આગમન કરેલ ત્યારે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ પુષ્પગુચ્છ અર્પણ કરી ભાવભેર સ્વાગત કર્યું હતું. રાજ્યપાલ આજરોજ તા. 8 મી ઓક્ટોબરે સાંજે નર્મદા જિલ્લાના એકતાનગરના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાઈ રહેલા ભારત પર્વ કાર્યક્રમમાં સહભાગી થશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એકતાનગર સર્કિટ હાઉસ ખાતે આગમન થતાં જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળા અને મદદનીશ કલેક્ટર પ્રસનજીત કૌર અને નાયબ કલેક્ટર પ્રોટોકોલ એન.એફ.વસાવા, ડી. વાય. એસ. પી. સંજય શર્મા સહિતના અધિકારીઓ પુષ્પગુચ્છ અર્પણ કરીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ