
ગીર સોમનાથ, 9 નવેમ્બર (હિ.સ.) : વેરાવળ એ.પી.એમ.સી.ના સેક્રેટરી કનકસિંહ પરમારે રાજ્ય સરકારે ઉદારતમ ધોરણે આપેલા રાહત પેકેજને ખેડૂત સમાજ વતીથી આવકાર્યું છે.
આ ઉપરાંત, રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી, સોયાબીન સહિતની ખેત પેદાશો ખરીદવાની જાહેરાત કરી છે, તેને પણ ખેડૂત વર્ગ વતીથી આવકાર્યું છે. તેમણે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં લેવામાં આવેલા આ ઉદારતમ નિર્ણયને આવકારી રાજ્યના ખેડૂતો માટે આ રાહત પેકેજ ઉપકારક બનશે તેવી ભાવના વ્યક્ત કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ