જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા 23 ડિસેમ્બરના રોજ ભરતી મેળો યોજાશે
જૂનાગઢ, 11 ડિસેમ્બર (હિ.સ.) : જૂનાગઢ જિલ્લાનાં રોજગાર વાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ સિન્નોવા ગીયર્સ એન્ડ ટ્રાંશમીશન પ્રા.લી. રાજકોટ, નેક્ષ્ટએડ્ઝ પ્રા.લી.(અદાની સોલાર મુંન્દ્રા) તથા બજાજ કેપીટલ ઇ
જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા 23 ડિસેમ્બરના રોજ ભરતી મેળો યોજાશે


જૂનાગઢ, 11 ડિસેમ્બર (હિ.સ.) : જૂનાગઢ જિલ્લાનાં રોજગાર વાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ સિન્નોવા ગીયર્સ એન્ડ ટ્રાંશમીશન પ્રા.લી. રાજકોટ, નેક્ષ્ટએડ્ઝ પ્રા.લી.(અદાની સોલાર મુંન્દ્રા) તથા બજાજ કેપીટલ ઇન્સ્યુરન્સ એન્ડ બ્રોકિંગ લી. જૂનાગઢ બ્રાંચ ખાતે ઓસીયેટ, સી.એન.સી./વિ.એમ.સી. મશીન ઓપરેટર ગીયર કટીંગ/ગ ગ્રાઇંડિંગ ઓપરેટર તથા સેલ્સ ઓફિસરની જગ્યાઓ માટે જગ્યાને અનુરૂપ ડિપ્લોમા , આઇ.ટી.આઇ. કે એસ.એસ.સી થી સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ‘બી” વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે તા.૨૩/૧૨/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૩૦કલાકે યોજવામાં આવનાર છે.

આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. ભરતીમેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટેલીફોન નંબર ૦૨૮૫-૨૬૨૦૧૩૯ પણ સંપર્ક કરવા જણાવાયુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande