
પોરબંદર, 13 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદરના રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નાથા ગુરગુટીયાએ એવી ફરિયાદ દાખલ કરાવી છે કે, ગઈ કાલે તેઓ આદિત્યાણાથી રાણાવાવ પરત ફરતા હતા ત્યારે એક વાહન અકસ્માત થયેલો જોવા મળ્યો હતો. જ્યાં લોકોનું ટોળું ભેગું થયું હતું. જેથી તેઓએ ત્યાં જોતા જેમનું અકસ્માત થયો હતો, તે તેમનો ભત્રીજો હતો. જેથી 108 એમ્બ્યુલન્સ બોલાવી ભત્રીજાને હોસ્પિટલ ખસેડતા હોસ્પિટલના તબીબોએ તપાસ કરી ફરિયાદીના ભત્રીજા મયુર આલાભાઈને મૃત જાહેર કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya