સોમનાથ જિલ્લામાં 13 ડિસેમ્બરે તમામ અદાલતોમાં નેશનલ લોકઅદાલત યોજાશે
સોમનાથ,13 ડિસેમ્બર (હિ.સ.) નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટી, ન્યૂ દિલ્હીના આદેશ અનુસાર નામદાર ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ 13 ડિસેમ્બરના રોજ ગીર સોમનાથ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ગીર-સોમનાથ જિલ્લામાં પક્ષકારો
સોમનાથ જિલ્લામાં 13 ડિસેમ્બરે તમામ અદાલતોમાં નેશનલ લોકઅદાલત યોજાશે


સોમનાથ,13 ડિસેમ્બર (હિ.સ.) નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટી, ન્યૂ દિલ્હીના આદેશ અનુસાર નામદાર ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ 13 ડિસેમ્બરના રોજ ગીર સોમનાથ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ગીર-સોમનાથ જિલ્લામાં પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસો પુરા થાય તે માટે નેશનલ લોક અદાલત યોજાશે.

જેમાં નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ-138 ના કેસ સમાધાન લાયક ફોજદારી કેસો, દિવાની દાવાઓ, બેન્ક લેણાના કેસ, વાહન અકસ્માતના કેસ, લેબર કેસ, વીજબીલ, પાણીબીલ, સર્વિસ મેટર, રેવન્યુ મેટર, લગ્નસંબંધી કેસ, જમીન સંપાદનને લગતા કેસ મૂકી શકાશે.

જે પક્ષકારો કેસ મૂકવા માંગતા હોય તેઓએ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, વેરાવળ અથવા ગીર-સોમનાથ જિલ્લાની તાલુકા કોર્ટોમાં આવેલી તાલુકાના કાનુની સેવા સમિતિનો સંપર્ક કરવો.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande