સુરતના બારડોલી ધુલીયા ચોકડી પાસે આવેલા, ભંગાર અને પ્લાસ્ટિકના ગોડાઉનોમાં આગ,મેજર કોલ જાહેર
- 2 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતા - 15થી વધુ ફાયર ગાડીઓ ઘટનાસ્થળે સુરત,15 ડિસેમ્બર (હિ.સ.) સુરતના બારડોલી ધુલીયા ચોકડી પાસે આવેલા ભંગાર અને પ્લાસ્ટિકના ગોડાઉનોમાં આગ લાગવાની ઘટના બની છે. બારડોલી ધુલિયા ચોકડી પાસે આવેલા ભંગ
સુરતના બારડોલી ધુલીયા ચોકડી પાસે આવેલા ભંગાર અને પ્લાસ્ટિકના ગોડાઉનોમાં આગ,મેજર કોલ જાહેર


- 2 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતા

- 15થી વધુ ફાયર ગાડીઓ ઘટનાસ્થળે

સુરત,15 ડિસેમ્બર (હિ.સ.) સુરતના બારડોલી ધુલીયા ચોકડી પાસે આવેલા ભંગાર અને પ્લાસ્ટિકના ગોડાઉનોમાં આગ લાગવાની ઘટના બની છે. બારડોલી ધુલિયા ચોકડી પાસે આવેલા ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે. અહીં રવિવારે મોડી રાતે બે વાગ્યાની આસપાસ ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. આ ગોડાઉનમાં પ્લાસ્ટિકનો જથ્થો હોવાને કારણે આગ પ્રસરીને 11થી વધુ ગોડાઉનમાં આગ પ્રસરી ગઈ હતી.આ તમામ ગોડાઉન બળીને ખાખ થઈ ગયા છે.

આ ભયાવહ આગ બુઝાવવા માટે ફાયર વિભાગની 15થી વધારે ગાડીઓ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. સદનસીબે આ ભીષણ આગ રાતના સમયે લાગતા અહીં કોઈ લોકો કામ કરી રહ્યા ન હતા. જેના કારણે અત્યાર સુધી જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી.

પ્લાસ્ટિકના ગોડાઉનોમાં આગ લાગવાના કારણે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. સ્થિતિની ગંભીરતા જોતા પ્રાંત અધિકારી દ્વારા આ ઘટનાને મેજર કોલ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 15થી વધુ ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.

અંદાજે રાત્રે 2થી 2:30 વાગ્યાની વચ્ચે આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે, ધૂમાડાના મોટા ગોટેગોટા 2 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા છે.

બારડોલી, કામરેજ, વ્યારા, પી.ઈ.પી.એલ. (PEPL), અને હોજીવાલા સહિતની વિવિધ સ્થળોની ફાયર ટીમો આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો કરી રહી છે. પ્લાસ્ટિકના કારણે આગને કાબૂમાં લેવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી.ગોડાઉનોમાં પ્લાસ્ટિકનો સામાન હોવાના કારણે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

આગને કારણે ગોડાઉનમાં રહેલો તમામ માલસામાન બળીને ખાખ થઈ ગયો છે, જેનાથી ગોડાઉન માલિકોને મોટું આર્થિક નુકસાન થયું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે અને તેની તપાસ ચાલી રહી છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ હજી સુધી આવ્યા નથી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande