લોક અદાલતમાં ૪૬૯૮ કેસોનો, સુખદ નિકાલ કુલ રૂ. ૧૧,૭૯,૨૮,૬૮૮ જેટલી રકમના વિવાદોનું નિરાકરણ થયું
ગીર સોમનાથ 15 ડિસેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટી ન્યુ દિલ્હીના આદેશ અનુસાર નામદાર ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ગીર-સોમનાથ દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં અધ
લોક અદાલતમાં ૪૬૯૮ કેસોનો, સુખદ નિકાલ કુલ રૂ. ૧૧,૭૯,૨૮,૬૮૮ જેટલી રકમના વિવાદોનું નિરાકરણ થયું


ગીર સોમનાથ 15 ડિસેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટી ન્યુ દિલ્હીના આદેશ અનુસાર નામદાર ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ગીર-સોમનાથ દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં અધ્યક્ષ અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ વી.બી.ગોહીલનાં અધ્યક્ષસ્થાને જિલ્લાની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલત યોજાઈ હતી.

આ લોક અદાલતમાં નેગો.ઈન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ-૧૩૮, ભરણ પોષણનાં કેસો, દિવાની દાવાઓ, મોટર અકસ્માતનાં વળતરને લગતા કેસો, સ્પેશીયલ સીટીંગ, પ્રિ-લીટીગેશનના કેસો તથા ટાફીક ચલણના કેસોનો સુખદ નિકાલ કરાયો હતો.

આ લોકઅદાલતમાં કુલ ૭૨૯ પેન્ડીંગ કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો હતો. મેજીસ્ટ્રેટના સ્પેશ્યલ સિટીંગમાં કુલ ૧૯૧૩, પ્રિ-લીટીગેશનનાં કુલ ૨૦૫૬ મળીને કુલ ૪૬૯૮/- કેસોનો આ લોક અદાલતમાં નિકાલ કરવામાં આવેલ હતો. તેમજ કુલ રૂ. ૧૧,૭૯,૨૮,૬૮૮/- જેટલી રકમના વિવાદોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. એમ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ગીર-સોમનાથનાં સેક્રેટરી જે.એન.પટેલની યાદીમાં જણાવવામાં આવ્યું

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande