ઉના-ગીરગઢડા-જામવાળા રોડ પર, રિસરફેસિંગની કામગીરી કરાઈ
ગીર સોમનાથ 15 ડિસેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા ગીર સોમનાથમાં રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી વાહનવ્યવહાર સુગમ રહે. આ જ ઉપક્રમે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા ઉના-ગીરગઢડા-જામવાળા રોડ પર ભાખા અ
ઉના-ગીરગઢડા-જામવાળા


ગીર સોમનાથ 15 ડિસેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા ગીર સોમનાથમાં રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી વાહનવ્યવહાર સુગમ રહે.

આ જ ઉપક્રમે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા ઉના-ગીરગઢડા-જામવાળા રોડ પર ભાખા અને જામવાડા ખાતે રિસરફેસિંગની કામગીરી ચાલુ કરવામાં આવી છે.

આ રસ્તાના રિસરફેસિંગની કામગીરીથી ગીરગઢડા, જાખિયા, બાબરિયા, ભાખા, થોરડી, જામવાળાના ગ્રામજનો માટે વાહનવ્યવહારનો અનુભવ સુગમ બનશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande