પ્રધાનમંત્રી ત્રણ દેશોની મુલાકાતે જવા રવાના, જોર્ડન, ઇથોપિયા અને ઓમાન સાથે સંબંધો મજબૂત
નવી દિલ્હી, 15 ડિસેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની ત્રણ દેશોની મુલાકાત માટે રવાના થયા. તેમના પ્રસ્થાન પહેલાં જારી કરાયેલા એક નિવેદનમાં, પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આ ત્રણેય દેશો ભારત સાથે
પ્રવાસ


નવી દિલ્હી, 15 ડિસેમ્બર

(હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની ત્રણ દેશોની મુલાકાત માટે રવાના થયા.

તેમના પ્રસ્થાન પહેલાં જારી કરાયેલા એક નિવેદનમાં, પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આ ત્રણેય દેશો ભારત સાથે

પ્રાચીન સભ્યતા સંબંધો તેમજ સમકાલીન દ્વિપક્ષીય ભાગીદારી ધરાવે છે. ભારતના

રાજદ્વારી અને વૈશ્વિક સહયોગને વધુ મજબૂત બનાવવા માટે આ મુલાકાત મહત્વપૂર્ણ

માનવામાં આવે છે.

પ્રધાનમંત્રી જોર્ડનમાં તેમની મુલાકાત શરૂ કરશે, જ્યાં તેઓ રાજા અબ્દુલ્લા

દ્વિતીયઇબ્ન અલ-હુસૈનના

આમંત્રણ પર ઓમાનની મુલાકાત લેશે. આ મુલાકાત ઐતિહાસિક માનવામાં આવે છે, જે ભારત અને જોર્ડન વચ્ચે

રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 75મી વર્ષગાંઠ નિમિત્તે છે. પ્રધાનમંત્રી રાજા

અબ્દુલ્લા દ્વિતીય, જોર્ડનના વડાપ્રધાન જાફર

હસન અને ક્રાઉન પ્રિન્સ અલ-હુસૈન બિન અબ્દુલ્લા દ્વિતીયને મળશે. તેઓ ભારતીય સમુદાય

સાથે પણ વાતચીત કરશે, જે ભારત-જોર્ડન

સંબંધોમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

જોર્ડન પછી, પ્રધાનમંત્રી

ઇથોપિયાની યાત્રા કરશે. ઇથોપિયાની આ તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત હશે. તેમણે

માહિતી આપી હતી કે આદિસ અબાબા આફ્રિકન યુનિયનનું મુખ્ય મથક પણ છે, જેને 2023 માં ભારતના જી-20

પ્રમુખપદ દરમિયાન G20 નું કાયમી

સભ્ય બનાવવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી ઇથોપિયાના પ્રધાનમંત્રી ડૉ. અબીય અહેમદ

અલી સાથે વ્યાપક ચર્ચા કરશે અને ત્યાં ભારતીય સમુદાયને મળશે. તેઓ ઇથોપિયન સંસદના

સંયુક્ત સત્રને પણ સંબોધિત કરશે, જ્યાં તેઓ

લોકશાહીની માતા તરીકે ભારતની યાત્રા અને વૈશ્વિક દક્ષિણ માટે

ભારત-ઇથોપિયા ભાગીદારીના મહત્વ પર પોતાના વિચારો શેર કરશે.

પ્રધાનમંત્રી તેમની મુલાકાતના અંતિમ તબક્કામાં ઓમાન પહોંચશે, જે ભારત-ઓમાન રાજદ્વારી

સંબંધોની 70મી વર્ષગાંઠ સાથે સુસંગત છે. મસ્કતમાં, પ્રધાનમંત્રી ઓમાનના સુલતાનને મળશે અને બંને દેશો વચ્ચે

વ્યૂહાત્મક ભાગીદારી અને વેપાર અને આર્થિક સહયોગને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા

કરશે. તેઓ ઓમાનમાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે, જેમણે દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને

ભારત-ઓમાન સંબંધોને મજબૂત બનાવ્યા છે.

પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આ ત્રણ દેશોની

મુલાકાત ભારતના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને વૈશ્વિક મંચ પર

ભારતની ભૂમિકાને વધુ મજબૂત બનાવશે.”

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande