સ્વદેશી મેળો–સશક્ત નારી મેળો 19 થી 21 ડિસેમ્બરે નટવરસિંહજી ક્લબ, પોરબંદર ખાતે યોજાશે.
પોરબંદર, 18 ડિસેમ્બર (હિ.સ.) ગુજરાત સરકારના સ્વદેશી અભિયાન તથા મહિલા સશક્તિકરણના વિઝનને આગળ ધપાવવાના હેતુથી સમગ્ર રાજ્યમાં ગુજરાત લાઇવલિહુડ પ્રમોશન કંપની (GLPC), ગાંધીનગર દ્વારા “સશક્ત નારી મેળા”નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અનુસંધાને પોરબંદ
સ્વદેશી મેળો–સશક્ત નારી મેળો 19 થી 21 ડિસેમ્બરે નટવરસિંહજી ક્લબ, પોરબંદર ખાતે યોજાશે.


પોરબંદર, 18 ડિસેમ્બર (હિ.સ.) ગુજરાત સરકારના સ્વદેશી અભિયાન તથા મહિલા સશક્તિકરણના વિઝનને આગળ ધપાવવાના હેતુથી સમગ્ર રાજ્યમાં ગુજરાત લાઇવલિહુડ પ્રમોશન કંપની (GLPC), ગાંધીનગર દ્વારા “સશક્ત નારી મેળા”નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અનુસંધાને પોરબંદર જિલ્લામાં ગ્રામ વિકાસ વિભાગ દ્વારા વિવિધ સરકારી વિભાગોના સહયોગથી નટવરસિંહજી ક્લબ, પોરબંદર ખાતે 19 થી 21 ડિસેમ્બર, 2025 દરમિયાન જિલ્લા સ્તરીય “સશક્ત નારી મેળો” યોજાશે.

રાજ્ય સરકારની આ પહેલ દ્વારા મહિલાઓના યોગદાનને પ્રદર્શિત કરવા સાથે તેમના પ્રયાસોને યોગ્ય પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ‘સશક્ત નારી મેળા’ થકી મહિલા ઉદ્યોગ સાહસિકો, લખપતિ દીદીઓ, ડ્રોન દીદીઓ, સ્વ-સહાય જૂથો (SHGs), મહિલા ખેડૂતો, સહકારી સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ અને વ્યવસાયિકો દ્વારા પાયાના સ્તરે સર્જાતા પરિવર્તનકારી બદલાવોને પ્રોત્સાહન મળશે.

મહિલા સશક્તિકરણ, સ્થાનિક ઉત્પાદન, ઉદ્યોગ સાહસિકતા અને સ્વદેશી મૂલ્યો પર કેન્દ્રિત આ મેળો મહિલાઓની આર્થિક ભાગીદારીને વેગ આપશે તેમજ રાજ્યભરની મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોતરૂપ બનશે.

આ મેળામાં મહિલાઓ દ્વારા ઉત્પાદિત હસ્તકલા, ગૃહઉદ્યોગની ચીજવસ્તુઓ તેમજ વિવિધ કૌશલ્યલક્ષી પ્રવૃત્તિઓનું પ્રદર્શન અને વેચાણ માટે ઉત્તમ અવસર ઉપલબ્ધ કરાશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નગરજનોને આ મેળામાં ઉપસ્થિત રહી મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા તથા વધુમાં વધુ મહિલાઓ અને મુલાકાતીઓને આ મેળાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande