
ભાવનગર 20 ડિસેમ્બર (હિ.સ.) યાત્રીઓને જાણ કરવામાં આવે છે કે પશ્ચિમ રેલવેના મુંબઈ ઉપનગર વિસ્તારમાં છઠ્ઠી લાઇનના કમિશનિંગ કાર્ય માટે ટ્રાફિક તથા પાવર બ્લોક લેવામાં આવી રહ્યો છે. આ કાર્ય રેલ અવસંરચનાને મજબૂત બનાવવા તથા ભવિષ્યમાં વધુ સુચારુ રેલ સંચાલન સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી રહ્યું છે. ભાવનગર રેલવે મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું છે કે આ કાર્ય દરમ્યાન ભાવનગર રેલવે મંડળ સંબંધિત કેટલીક મેલ/એક્સપ્રેસ ટ્રેનોના સંચાલનમાં અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યા છે.
અસરગ્રસ્ત ટ્રેનોની વિગત નીચે મુજબ છેઃ—
1. ટ્રેન નં. 19218 વેરાવળ–બાંદ્રા એક્સપ્રેસ તારીખ 27.12.2025ના રોજ 01 કલાક રિશેડ્યૂલ રહેશે, એટલે કે વેરાવળથી 01 કલાક મોડે રવાના થશે.
2. ટ્રેન નં. 19218 વેરાવળ–બાંદ્રા એક્સપ્રેસ તારીખ 10.01.2026ના રોજ 45 મિનિટ રિશેડ્યૂલ રહેશે, એટલે કે વેરાવળથી 45 મિનિટ મોડે રવાના થશે.
3. ટ્રેન નં. 19218 વેરાવળ–બાંદ્રા એક્સપ્રેસ તારીખ 15.01.2026ના રોજ 45 મિનિટ રિશેડ્યૂલ રહેશે, એટલે કે વેરાવળથી 45 મિનિટ મોડે રવાના થશે.
4. ટ્રેન નં. 19218 વેરાવળ–બાંદ્રા એક્સપ્રેસ તારીખ 16.01.2026ના રોજ 30 મિનિટ રિશેડ્યૂલ રહેશે, એટલે કે વેરાવળથી 30 મિનિટ મોડે રવાના થશે.
5. ટ્રેન નં. 12972 ભાવનગર–બાંદ્રા સુપરફાસ્ટ તારીખ 27.12.2025ના રોજ માર્ગમાં 45 મિનિટ રિશેડ્યૂલ રહેશે, એટલે કે માર્ગમાં 45 મિનિટ મોડું થશે.
6. ટ્રેન નં. 19218 વેરાવળ–બાંદ્રા એક્સપ્રેસ તારીખ 06.01.2026ના રોજ માર્ગમાં 15 થી 20 મિનિટ રિશેડ્યૂલ રહેશે, એટલે કે માર્ગમાં 15 થી 20 મિનિટ મોડું થશે.
7. ટ્રેન નં. 19218 વેરાવળ–બાંદ્રા એક્સપ્રેસ તારીખ 07.01.2026ના રોજ માર્ગમાં 15 થી 20 મિનિટ રિશેડ્યૂલ રહેશે, એટલે કે માર્ગમાં 15 થી 20 મિનિટ મોડું થશે.
8. ટ્રેન નં. 19218 વેરાવળ–બાંદ્રા એક્સપ્રેસ તારીખ 13.01.2026ના રોજ માર્ગમાં 15 થી 20 મિનિટ રિશેડ્યૂલ રહેશે, એટલે કે માર્ગમાં 15 થી 20 મિનિટ મોડું થશે.
9. ટ્રેન નં. 19218 વેરાવળ–બાંદ્રા એક્સપ્રેસ તારીખ 14.01.2026ના રોજ માર્ગમાં 15 થી 20 મિનિટ રિશેડ્યૂલ રહેશે, એટલે કે માર્ગમાં 15 થી 20 મિનિટ મોડું થશે.
10. ટ્રેન નં. 09208 ભાવનગર–બાંદ્રા TOD સ્પેશિયલ તારીખ 15.01.2026ના રોજ માર્ગમાં 20 મિનિટ રિશેડ્યૂલ રહેશે, એટલે કે માર્ગમાં 20 મિનિટ મોડું થશે.
યાત્રીઓને વિનંતી છે કે મુસાફરી પૂર્વે NTES એપ, રેલવે પૂછપરછ (139) અથવા અધિકૃત રેલવે વેબસાઇટ દ્વારા પોતાની ટ્રેનની સ્થિતિની ખાતરી કરી લેવી. આરક્ષિત યાત્રીઓને SMS એલર્ટ દ્વારા પણ માહિતી આપવામાં આવી રહી છે.
પશ્ચિમ રેલવે આ અસુવિધા બદલ યાત્રીઓની માફી માગે છે અને સહયોગની અપેક્ષા રાખે છે. કાર્ય પૂર્ણ થયા બાદ યાત્રીઓને વધુ સારી, સુરક્ષિત તથા સમયબદ્ધ રેલ સેવાઓનો લાભ મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ