



ગોધરા, 21 ડિસેમ્બર (હિ.સ.) : જય જલારામ હોમિયોપેથીક કોલેજ દ્વારા HOMOEOASCENT 1.0 અંતર્ગત એક દિવસય સેમિનાર ગોવિંદગુરુ યુનિવર્સીટીના હોલમાં યોજાયો. જેમા હોમિયોપેથીમાં થતા રિસર્ચ વિશે તજજ્ઞ દ્વારા માહિતી આપવામાં આવી.
આ સેમિનારમાં ગોવિંદ ગુરુ યુનિવર્સીટીના વાઇસ ચાન્સલર હરિભાઈ કાતરીયા, રાજ્ય સભાના સાંસદ ડૉ જસવંતસિંહ પરમાર એ ખાસ હાજરી આપી હતી અને હોમિયોપેથીને વધુ માં વધુ ઉત્કૃષ્ટ બનાવવા સંશોધન જરૂરી ગણાવ્યું હતું. તેનાથી એલોપેથીને સમકક્ષ ચિકિત્સા પધ્ધતિ તરીકે લોકો અપનાવતા થાય એવી આવા સેમિનાર થકી થતી કોશિશને બિરદાવી હતી. આ સેમિનારમાં ગુજરાત ભરની હોમિયોપેથી કોલેજના પ્રિન્સિપાલ, અધ્યાપકો અને સ્ટુડન્ટ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ