
પોરબંદર, 25 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં અગાઉ યોજાયેલી બેઠકની કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન જિલ્લામાં અનાજ વિતરણની વ્યવસ્થા, ભાવ અને પ્રમાણ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી તેમજ સંબંધિત મુદ્દાઓ પર સમીક્ષા કરાઈ હતી. આ ઉપરાંત જિલ્લામાં ઈ-કેવાયસી (e-KYC)ની પ્રગતિ અંગે વિસ્તૃત સમીક્ષા કરીને કામગીરીમાં વધુ ગતિ લાવવા માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી એન.બી. રાજપુત સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ તથા સમિતિના સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya