સોમનાથ ત્રિવેણી સંગમ ઘાટ ખાતે ‘સંગમ આરતી’ કરતા મુખ્યમંત્રીશ્રી વૈદિક ઋચાઓના ગાન અને આદ્યાત્મિક અને દિવ્ય માહોલમાં ૧૦૮ દીપની આરતી કરી
ગીર સોમનાથ 25 ફેબ્રુઆરી (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે કલા અને સંસ્કૃતિ દ્વારા આરાધનાના અલૌકિક ‘સોમનાથ મહોત્સવ’ને ખૂલ્લો મૂકતાં પહેલા ઢળતી સાંજે ત્રિવેણી સંગમ ઘાટ ખાતે ‘સંગમ આરતી’ કરી હતી. જે રીતે ગંગા આરતી કરવામાં આવે છે, તે જ રીતે મુખ્
સોમનાથ ‌ત્રિવેણી ઘાટ આરતી


ગીર સોમનાથ 25 ફેબ્રુઆરી (હિ.સ.)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે કલા અને સંસ્કૃતિ દ્વારા આરાધનાના અલૌકિક ‘સોમનાથ મહોત્સવ’ને ખૂલ્લો મૂકતાં પહેલા ઢળતી સાંજે ત્રિવેણી સંગમ ઘાટ ખાતે ‘સંગમ આરતી’ કરી હતી.

જે રીતે ગંગા આરતી કરવામાં આવે છે, તે જ રીતે મુખ્યમંત્રીશ્રીએ હિરણ, કપિલા અને સરસ્વતી નદીનું જ્યાં પવિત્ર મિલન થાય છે, તેવા અરબી સમુદ્રના સંગમ સ્થળ પર વેદની ઋચાઓના ગાન સાથે આદ્યાત્મિક અને દિવ્ય માહોલમાં ૧૦૮ દીપની ‘સંગમ આરતી’ કરી હતી.

આ ‘સંગમ આરતી’ દરમિયાન પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય પ્રદ્યુમનવાજા, શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જે .ડી પરમાર, પ્રવાસન અને દેવસ્થાન વિભાગના સચિવ રાજેન્દ્રકુમાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન રમેશ મેરજા, અગ્રણી સર્વશ્રી ઝવેરી ઠકરાર, મહેન્દ્ર પીઠિયા, રાજશી જોટવા, માનસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા શ્રી મનોહરસિંહ જાડેજા, શ્રી સોમનાથ ટ્રસ્ટના પ્રતિનિધિઓ સહિત જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande