


ગાંધીનગર, 27 મે (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષ સ્થાને મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાયેલ 20 વર્ષ શહેરી વિકાસના કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાનશ્રીના હસ્તે રૂ. 5536 કરોડના વિવિધ 27 વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કરાયા હતા.
● લોકાપર્ણ ખાતમુહૂર્ત કરાયેલા મહત્વના વિકાસ કાર્યોની વિગતો
¤ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. 1006 કરોડના ખર્ચે તૈયાર થયેલા 22 હજારથી વધુ રહેણાંક એકમોનું લોકાર્પણ
¤ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 17 મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂ. 2731 કરોડ અને 149 મ્યુનિસિપાલિટીને રૂ. 569 કરોડના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
¤ અમદાવાદ ખાતે રૂ. 1 હજાર કરોડના ખર્ચે બનનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3 નું ખાતમુહૂર્ત
¤ શહેરી વિકાસ વિભાગ હેઠળ જામનગર, સુરત, અમદાવાદ, ગાંધીનગર અને જૂનાગઢના કુલ રૂ.1447 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
¤ જળ સંસાધન વિભાગ હેઠળ રૂ. 1860 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
¤ સુરતના કાંકરા-ખાડીના કિનારે રૂ. 145 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા બાયોડાયવર્સિટી પાર્કનું લોકાર્પણ
¤ માર્ગ અને મકાન વિભાગ હેઠળ રૂ. 170 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
¤ બનાસકાંઠામાં રૂ. 888 કરોડના ખર્ચે બનનારી થરાદ ધાનેરા પાઇપલાઇન, રૂ. 678 કરોડના ખર્ચે દિયોદર લાખણી પાઇપલાઇનનું ખાતમુહૂર્ત
¤ ગાંધીનગર ખાતે રૂ. 84 કરોડના ખર્ચે યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ
¤ અમદાવાદમાં રૂ. 588 કરોડના ખર્ચે 1800 બેડ ધરાવતા IPD સાથે 500 બેડની સુવિધા સાથેના ચેપી રોગ માટેના OPD બ્લોકનું ખાતમુહૂર્ત
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ