ભારતીય વિચાર મંચના યુવા આયામ દ્વારા એએમસી ના સહયોગથી હેરિટેજ સિટી વોકનું આયોજન કરાયું
ગાંધીનગર, 10 જૂન (હિ.સ.) : ભારતીય વિચાર મંચના યુવા આયામ, YAGNA ( Youth Awareness for Greater National Awakening), કર્ણાવતી કેન્દ્ર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ''હેરિટેજ સિટી વૉક'' નું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે સાત વાગ્
હેરિટેજ સિટી વોક


હેરિટેજ સિટી વોક


હેરિટેજ સિટી વોક


ગાંધીનગર, 10 જૂન (હિ.સ.) : ભારતીય વિચાર મંચના યુવા આયામ, YAGNA ( Youth Awareness for Greater National Awakening), કર્ણાવતી કેન્દ્ર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી 'હેરિટેજ સિટી વૉક' નું આયોજન કરવામાં આવ્યું હતું.

સવારે સાત વાગ્યે શરૂ થયેલ આ નાનકડા પગપાળા પ્રવાસનો મુખ્ય હેતુ, સમગ્ર વિશ્વ જેની નોંધ લઇ રહ્યું છે તેવી નગરની સમૃદ્ધ ધરોહરની પ્રત્યક્ષ મુલાકાત લઈ વિગતવાર અને પ્રમાણિત માહિતી એકઠી કરવાનો હતો. પ્રવાસના આરંભથી અંત સુધી સાથે રહેલા કોર્પોરેશનના અધિકૃત માર્ગદર્શક શ્રીએ આપેલી વિગતો નીચે મુજબ હતી.

તત્કાલીન નગરરચનામાં 'પોળ', 'ખડકી' તથા 'ખાંચો' ની વિશિષ્ટ શૈલી, સમાજજીવનમાં સહકારિતા તથા સહભાગીતાના મજબૂત તાણાવાળાનો જીવંત પૂરાવો પ્રસ્તુત કરી રહી છે.

મઘા નક્ષત્રમાં વરસેલ જળ એકઠું કરી તાંબુ તથા ચૂનાની સંરચના વડે તેના સંચય તથા શુદ્ધિકરણની વ્યવસ્થા આધુનિક વિજ્ઞાન માટે માર્ગદર્શકરૂપ છે.

વિદેશી આક્રમણો ખાળવામાં વ્યાપારી કુનેહના ઉપયોગની માહિતી પ્રભાવિત કરનારી હતી. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ તથા તેમાંથી થતી આવકનો ઉપયોગ દેરાસરો/મંદિરોના નિર્માણ અને સખાવતોમાં થતો એ અત્રે ઉલ્લેખનીય છે.

વિષમ વાતાવરણ તથા ભૂકંપનો પ્રતિરોધ કરી શકે તેવાં જુનાં મકાનોની બાંધણીમાં માટી, ચૂનો, કાષ્ઠ ઉપરાંત ગોળ, મેથી તથા હિંગના ઉપયોગ વિશે જાણી સૌ સહભાગીઓને સાનંદાઆશ્ચર્ય થયું.

કન્યા કેળવણીમાં સમાજનાં અગ્રણી મહિલાઓ તથા શ્રેષ્ઠિઓનાં યોગદાન દ્વારા ભારતના વિશ્વ કલ્યાણક સંસ્કૃતિના ભવ્ય વારસાનું સુપેરે વહન થતું રહ્યું છે તેનાં પ્રત્યક્ષ પ્રમાણો જોવા મળ્યાં.

સોના ચાંદીના વ્યાપારીઓ, પશુપાલકો, ખાણીપીણીની લારીવાળા, તથા સફાઈ કર્મીઓ વચ્ચે પરસ્પરાવલંબનનું 'માણેકચોક મોડેલ' નગર વ્યવસ્થાપન સાથે સંકળાયેલા લોકો માટે કુતુહલ તથા અભ્યાસનો વિષય છે.

કર્ણાવતી, આશાવલ્લી તથા અહમદાબાદના સંભવિત કાલખંડ તથા ભૂગોળ વિશે પણ સારી માહિતી મળી.

રસપ્રદ વર્ણનો સાથે સહભાગીઓના મનમાં પ્રશ્નોનો ઉદભવ, અનુમાનો અંગે ચાલતાં ચાલતાં થયેલી ચર્ચાઓ તથા સંદર્ભો શોધવાની, ચકાસવાની જિજ્ઞાસાઓના કારણે ઉત્તમ વિચાર મંથન થયું.

પ્રવાસમાં જોડાયેલા સમૂહમાં 28 પુરુષો તથા 17 મહિલાઓની ઉપસ્થિતિ રહી જેમાં યુવા વર્ગ સામેલ હતો.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande