પોરબંદર, 10 જૂન (હિ.સ.)
પોરબંદરના સુદામા મંદિર નજીક આવેલા ભગવાન જગન્નાથનું મંદિર આવેલ છે. આવતી કાલે 11 જૂન જેષ્ઠા અભિષેક(જળયાત્રા)નો આયોજન કરવામાં આવ્યું છે. સુદામા મંદિર નજીક આવેલ ભગવાન જગન્નાથજીનું આ મંદિર અંદાજે 200 વર્ષ જૂનુ છે. આ મંદિરે દર વર્ષે ભગવાન જગન્નાથજીને જેષ્ઠ પૂર્ણિમાના દિવસે પવિત્ર જળથી સ્નાન કરાવવામાં આવે છે મંદિરના મહંત પાર્થ રામાવતે જણાવ્યું હતું કે, આવતી કાલે 11 જૂનના રોજ જેષ્ઠા પૂર્ણિમા નિમિતે સવારે 8 થી બપોરે 12 કલાક સુધી ભગવાન જગન્નાથજીને 108 કુંભના પવિત્ર જળથી સ્નાન કરાવવામાં આવશે.
મંદિરમાં ભગવાન જગન્નાથ,બલભદ્રજી અને સુભદ્રાજીની મૂર્તિઓને મંદિરની બહાર લાવી સ્નાન વેદી પર બિરાજમાન કરવામાં આવશે. આ અલૌકિક દર્શનનો લાભ લેવા સર્વે ભાવિક ભક્તોને આયોજકોએ હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya