પોરબંદરમાં જગન્નાથની જળયાત્રા યોજાશે.
જગન્નાથની જળયાત્રા યોજાશે.
પોરબંદરમાં જગન્નાથની જળયાત્રા યોજાશે.


પોરબંદર, 10 જૂન (હિ.સ.)

પોરબંદરના સુદામા મંદિર નજીક આવેલા ભગવાન જગન્નાથનું મંદિર આવેલ છે. આવતી કાલે 11 જૂન જેષ્ઠા અભિષેક(જળયાત્રા)નો આયોજન કરવામાં આવ્યું છે. સુદામા મંદિર નજીક આવેલ ભગવાન જગન્નાથજીનું આ મંદિર અંદાજે 200 વર્ષ જૂનુ છે. આ મંદિરે દર વર્ષે ભગવાન જગન્નાથજીને જેષ્ઠ પૂર્ણિમાના દિવસે પવિત્ર જળથી સ્નાન કરાવવામાં આવે છે મંદિરના મહંત પાર્થ રામાવતે જણાવ્યું હતું કે, આવતી કાલે 11 જૂનના રોજ જેષ્ઠા પૂર્ણિમા નિમિતે સવારે 8 થી બપોરે 12 કલાક સુધી ભગવાન જગન્નાથજીને 108 કુંભના પવિત્ર જળથી સ્નાન કરાવવામાં આવશે.

મંદિરમાં ભગવાન જગન્નાથ,બલભદ્રજી અને સુભદ્રાજીની મૂર્તિઓને મંદિરની બહાર લાવી સ્નાન વેદી પર બિરાજમાન કરવામાં આવશે. આ અલૌકિક દર્શનનો લાભ લેવા સર્વે ભાવિક ભક્તોને આયોજકોએ હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande