શાળાની વિદ્યાર્થીનીઓ દ્રારા, શાળા પુજન કરાયું.
પોરબંદર, 12 જૂન (હિ.સ.) પોરબંદરના રાજવી પરિવાર દ્રારા ભેટમા આપાવામા આવેલી બાલુબા કન્યા વિદ્યાલયમા, હજારો વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી ઉજવળ કારર્કિદી બનાવી હતી આ શાળાનુ બિલ્ડીગ છેલ્લા આઠ વર્ષથી જર્જરીત હાલતમા હતી જેના કારણે શાળાનુ સ્થળાંતર વિજ્ઞાન ભવન ખાત
શાળાની વિદ્યાર્થીનીઓ દ્રારા શાળા પુજન


શાળાની વિદ્યાર્થીનીઓ દ્રારા શાળા પુજન


શાળાની વિદ્યાર્થીનીઓ દ્રારા શાળા પુજન


શાળાની વિદ્યાર્થીનીઓ દ્રારા શાળા પુજન


શાળાની વિદ્યાર્થીનીઓ દ્રારા શાળા પુજન


પોરબંદર, 12 જૂન (હિ.સ.) પોરબંદરના રાજવી પરિવાર દ્રારા ભેટમા આપાવામા આવેલી બાલુબા કન્યા વિદ્યાલયમા, હજારો વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી ઉજવળ કારર્કિદી બનાવી હતી આ શાળાનુ બિલ્ડીગ છેલ્લા આઠ વર્ષથી જર્જરીત હાલતમા હતી જેના કારણે શાળાનુ સ્થળાંતર વિજ્ઞાન ભવન ખાતે કરવામા આવ્યુ હતુ આથી બાલુબાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની નૂતનબેન ગોકાણી,દુર્ગાબેન લાદીવાલા અને નિધિબેન શાહ દ્રારા બાલુબા એલુમની સ્થાપના કરી અને બાલુબા કન્ય વિદ્યાલયની ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સાથે રાખી અને બાલુબા એલુમનીની સ્થપના કરી શાળાના બિલ્ડીગના નિવિનિકરણનુ બિડું ઉઠાવ્યુ હતુ.

જેમા ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ અને દાતાના સહયોગથી લાખો રૂપીયાન ખર્ચ બે વર્ષમાં શાળાના બિલ્ડીગનુ નવિનિકરણ કર્યા બાદ આજે ગુરૂવારે શાળા પૂજનનો કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં શાળાના આંગણામા શાળાની વિદ્યાર્થીનીઓ પર પુષ્પા વર્ષા કરવામા આવી હતી તેમજ કળશ સાથે શાળાની પ્રદિક્ષણા કરી માં સરસ્વતિનુ પુજન કરવાની સાથે શાળામા કુંભ મુકવામા અવ્યો હતો આ શાળાના દરેક ઓરડાનુ નવિનિકરણ, લાયબ્રેરી,સ્માર્ટ કલાસ, કોમ્પયુટર લેબ,રમત-ગમતના સાધનો, સીસી ટીવી કેમરા અને ફાયર સેફટી

સહિતની સુવિદ્યા ઉપલબ્ધ કરવામા આવી છે.

આગામી સોમવારથી શાળામા દિકરીઓ અભ્યાસ કરશે આ શાળા પુજનના સમયે બાલુબા એલુમનીના બેનોની આંખોમા હરખના આંશ્રુ જોવા મળ્યા હતા આ કાર્યક્રમમા નવયુગ એજયુકેશન સોસાયટીના સેક્રેટરી હરિશભાઇ મહેતા, બાલુબા કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ રાજશ્રીબેન સિસોદીયા તેમજ બાલુબા એલુમનીના નૂતનબેન ગોકાણી, દુર્ગાબેન લાદીવાલ, નિધિબેન શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande