વિઝા ફ્રોડ સામે જનજાગૃતિ માટે, પોરબંદર પોલીસનો વિઝા અવેરનેસ પ્રોગ્રામ યોજાશે.
પોરબંદર પોલીસનો વિઝા અવેરનેસ પ્રોગ્રામ યોજાશે.
વિઝા ફ્રોડ સામે જનજાગૃતિ માટે, પોરબંદર પોલીસનો વિઝા અવેરનેસ પ્રોગ્રામ યોજાશે.


પોરબંદર, 10 જૂન (હિ.સ.)

આજના સમયમાં ગુજરાત રાજ્યમાંથી વિદેશ જવા ઇચ્છનારાઓની સંખ્યામાં સતત વધારો જોવા મળે છે, પરંતુ તેમાં એક તરફ લોકોના સપનાને સાકાર કરવાની તાકાત છે તો બીજી તરફ વિઝા અને વિદેશ પ્રવાસના નામે કેટલાક દુષિત તત્વો- એજન્ટના સ્વરૂપમાં ફ્રોડ કરી લોકોના વિશ્વાસ સાથે ખેલ કરે છે. આવા ફ્રોડને અટકાવવા અને નાગરિકોને સાચી માહિતી પૂરી પાડવા માટે પોરબંદર પોલીસ વિભાગ દ્વારા વિશિષ્ટ પગલાં રૂપે એક વિઝા અવેરનેસ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું છે.

આ અવેરનેસ કાર્યક્રમ તારીખ 12 જૂન, 2025 ના રોજ બપોરે 12 વાગ્યે, સ્થળ: DTC હોલ, પોલીસ હેડક્વાર્ટર, પોરબંદર ખાતે યોજાશે.આ કાર્યક્રમમાં વિઝા અને વિદેશ જવા સંબંધિત જરૂરી કાયદેસર પ્રક્રિયાઓ, યોગ્ય દસ્તાવેજો, લાયસન્સ પ્રાપ્ત એજન્ટની ઓળખ તથા આવા ફ્રોડથી કેવી રીતે બચી શકાય એ અંગે જવાબદાર અને અનુભવી અધિકારીઓ દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવશે.

કાર્યક્રમમાં હાજર રહેનાર નાગરિકો પોતાના પ્રશ્નો પણ પ્રસ્તુત કરી શકશે અને તેમને સીધી અને ઓથેન્ટિક માહિતી મળશે.પોરબંદર પોલીસ વિભાગ જનતાને અપિલ કરે છે કે વિદેશ જવા ઇચ્છા રાખતા, વિદ્યાર્થી વિઝા કે કામગરી માટે વિઝા લેતા, તેમજ આવા વિષયોમાં રસ ધરાવતા દરેક નાગરિકોએ આ અવેરનેસ પ્રોગ્રામનો લાભ લેવા એક યાદીમા જણાવ્યુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande