પોરબંદર, 10 જૂન (હિ.સ.)
પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં પાણીના નિકાલના મુદ્દે વધુ એક વખત સ્થાનિકોએ પોરબંદર મનપાને રજૂઆત કરી છે. ગત વર્ષે પડેલા ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો અને પાણીનો નિકાલ ન થતા લોકોને ઘર-વખરી પલળી હતી અને ઇલેક્ટ્રોનિક સામાનને પણ નુકશાની પહોંચી હતી ત્યારે ગત વર્ષ જેવી પરિસ્થિતિ આ વર્ષે ન થાય તે માટે છેલ્લા એક વર્ષથી સ્થાનિકો જિલ્લા કલેક્ટર અને પોરબંદર મનપા કમિશનરને લેખિત અને મૌખિક રજુઆત કરી રહ્યા છે.ત્યારે આજે સોમવારના રોજ રાજીવનગરના રહેવાસીઓએ ફરી એક વખત મનપાના ડે. કમિશ્નરને રૂબરૂ રજુઆત કરી છે. રાજીવનગરના ગેટ નજીક ગરનારાની સફાઈ તેમજ સરકારી જમીનોમાં જ્યાં પણ દબાણો હોય જે પાણીના નિકાલને અવરોધ રૂપ બનતા હોય તે દબાણો હટાવવા તેમજ રાજીવનગર વિસ્તારમાં સફાઈ સહિતની સમસ્યાના મુદ્દે રજુઆત કરી હતી અને હજુ આવનાર દિવસોમાં પાણીનિકાલને લઈને મનપા યોગ્ય કાર્યવાહી નહિ કરે તો હાઈવે ચક્કા જામ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.
&અવરોધ રૂપ દબાણો હટાવાશે*
ડે. કમિશ્નર ચતુર્વેદી રાજીવનગરના સ્થાનિકોએ, આજે વધુ એક વખત મનપાના ડે. કમિશ્નરને રજુઆત કરી હતી ત્યારે ડે. કમિશ્નર મનન ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, રાજીવનગરમાં વન સેન્ટરથી પ્રજાપતિ અને પટેલ સમાજ પાસેથી પાણી નિકાલનો વેણ આવેલ છે. પુલ નીચે હિટાચી દ્વારા સફાઈ કરવામાં આવી છે. તેમજ અવરોધ રૂપ દબાણ દૂર કરાયા છે. અવરોધ રૂપ મકાનોને નોટિસ આપવામાં આવી છે. ટૂંક સમયમાં તેને હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.પોરબંદરમાં વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે મનપાનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya