પોરબંદર, 10 જૂન (હિ.સ.) : પોરબંદરમા સાંઢીયા ગટરની સફાઇ કામગીરી દરમ્યાન ગટરની દિવાલ ધરાશાઇ થતા એક મહિલા ઇજાગ્રસ્તબની હતી. તેમને સારવાર માટે સરકારી હોપસ્પિટલ ખાતે ખસેડવામા આવી હતી પોરબંદરમા છેલ્લા એક વર્ષથી સાંઢીયા ગટર ખુલ્લી જોવા મળી રહી છે.તેમની મહાનગરપાલિકા દ્રારા સફાઇની કામગીરી શરૂ કરવામા આવી રહી છે.
ગત વર્ષે ભારે વરસાદને કારણે શહેરમા અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાતા તેમના નિકાલ માટે સાંઢીયા ગટર ખુલવામા આવી હતી અને તેમની સફાઇની કામગીરી હાથ ધરવામા આવી હતી તે સમયે સફઇ થઇ શકી ન હત આથી છેલ્લા એક વર્ષથી સાંઢીયા ગટર ખુલ્લી જોવા મળતી હતી આ ગટરની સફાઇ કરી અને ફરી પેક કરવા અવારનવાર રજુઆતો પણ કરવામા આવી હતી અત મહાનગરપાલિકા દ્રારા સાંઢીયા ગટરની સફાઇ શરૂ કરવામાં આવી છે. ત્યારે આજે મંગળવારે સવારના સમયે સાંઢીયા ગટરની સફાઇ કરતી વેળાએ ગટરની દિવાલ ધરશાઇ થતા રાણીબેન મકવાણા નામની મહિલાને ઇજાગ્રસ્ત બન્યા હતા તેમને તાત્કાલીક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા અન્ય એક મહિલાને સામાન્ય ઇજા પહોંચી હોવાનુ જાણવા મળી રહ્યુ છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya