બોખીરામાં રીક્ષાને ઠોકર મારતા, ત્રણ મહિલા ઇજાગ્રસ્ત
રીક્ષાને ઠોકર મારતા ત્રણ મહિલા ઇજાગ્રસ્ત
બોખીરામાં રીક્ષાને ઠોકર મારતા ત્રણ મહિલા ઇજાગ્રસ્ત


પોરબંદર, 10 જૂન (હિ.સ.)

પોરબંદરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે જેમાં બોખીરા નજીક આખલા યુદ્ધને કારણે રિક્ષા પલટી મારી જતા ત્રણ મહિલાઓને ઈજાઓ પહોંચી હતી જેમાંથી એક મહિલાને વધુ ઇજા પહોંચતા તેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પોરબંદર મનપા વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે દરરોજ નાના-મોટા અકસ્માતોના બનાવ સામે આવી રહ્યા છે. કેટલાક કિસ્સામાં લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. આમતો પોરબંદર મનપા દ્વારા છેલ્લા ત્રણ માસમાં 600 જેટલા આખલાઓને ડબ્બે પૂર્યા છે આમ છતાં હજુ પણ આખલાઓની સંખ્યા જોયે તેવી ઘટી નથી દરરોજ આખલા યુદ્ધના બનાવ બની રહ્યા છે.

ગઈ કાલે પણ બોખીરા વિસ્તારમાં આવો જ બનાવ સામે આવ્યો હતો. જેમાં ભાણવડના રહેવાસી હીરીબેન વાળ નામના વૃદ્ધા પોરબંદરમાં ઉઠમણામાં હાજરી આપવા આવ્યા હતા.દેગામથી રીક્ષા મારફતે બોખીરા પહોંચતા ઓચિંતા 5-6 ઢોર આવ્યા બાદ તેમાંથી એકે ઢોરે રિક્ષામાં શિંગડું ભરાવતા રીક્ષા પલ્ટી મારી હતી જેના લીધે રિક્ષામાં સવાર ત્રણ મહિલા ઈજાગ્રસ્ત બની હતી. આ ઘટનામાં હીરીબેનને વધુ ઇજા પહોંચતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande