મોટા વરાછામાં પતરા શેડ સામે કાર્યવાહી, પાલિકાએ 15થી વધુ દુકાનો સીલ કરી
સુરત, 11 જૂન (હિ.સ.)- સુરતના મોટા વરાછા વિસ્તારમાં પતરા શેડમાં ચાલતી ગેરકાયદેસર દુકાનો પર પાલિકા તંત્રએ ચુસ્ત પગલાં ભર્યાં છે. શહેરમાં રાજકોટ જેવી દુર્ઘટનાઓ પુનરાવર્તિત ન થાય એ માટે સુરક્ષા તથા કાયદેસરની દૃષ્ટિએ પાલિકાએ આ કાર્યવાહી હાથ ધરી છે. ચેકિં
Surat


સુરત, 11 જૂન (હિ.સ.)- સુરતના મોટા વરાછા વિસ્તારમાં પતરા શેડમાં ચાલતી ગેરકાયદેસર દુકાનો પર પાલિકા તંત્રએ ચુસ્ત પગલાં ભર્યાં છે. શહેરમાં રાજકોટ જેવી દુર્ઘટનાઓ પુનરાવર્તિત ન થાય એ માટે સુરક્ષા તથા કાયદેસરની દૃષ્ટિએ પાલિકાએ આ કાર્યવાહી હાથ ધરી છે.

ચેકિંગ દરમ્યાન બહાર આવ્યું કે મોટાભાગના પતરા શેડ બિનમંજુર અને ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા હતા. કેટલીક દુકાનોમાં તો મંજૂરી વિના અન્ય પ્રકારની પ્રવૃત્તિઓ પણ ચાલતી હોવાનુ જણાયું. હાલ તાત્કાલિક પગલાંરૂપે લગભગ 15થી વધુ દુકાનો સીલ કરવામાં આવી છે.

પાલિકા તંત્રએ સ્પષ્ટતા કરી છે કે ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે કરવામાં આવેલી અરજીઓ પર હજુ મંજૂરી આપવામાં આવી નથી. આ કામગીરીથી વેપારીઓમાં ઘબરાહટ છે, જ્યારે સામાન્ય નાગરિકોએ જાહેર સલામતીને ધ્યાને રાખી લેવાયેલા પગલાંનું આવકારપૂર્વક મૂલ્યાંકન કર્યું

છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande