અંકલેશ્વર નેત્રંગ 37 કિમી 55 કરોડના રસ્તાના કામમાં, ભ્રષ્ટાચારના ગાબડા પડવાનું શરૂ
ભરૂચ જિલ્લા સાંસદનો વિરોધ યોગ્ય હતો કહ્યું હતું શિવાલય ઈન્ફ્રા એજન્સીનું કામ ખરાબ છે રાજ્યધોરી માર્ગમાં પાપ છુપાવવા નવા રસ્તા પરના થીંગડા મારવાનું ચાલુ થઈ ગયું સરકારી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ એસી કચેરીમાં બેસી માત્ર વહીવટમાં મશગુલ વર્ષો પછ
અંકલેશ્વર નેત્રંગ 37 કિમી 55 કરોડના રસ્તાના કામમાં ભ્રષ્ટાચારના ગાબડા પડવાનું શરૂ


અંકલેશ્વર નેત્રંગ 37 કિમી 55 કરોડના રસ્તાના કામમાં ભ્રષ્ટાચારના ગાબડા પડવાનું શરૂ


અંકલેશ્વર નેત્રંગ 37 કિમી 55 કરોડના રસ્તાના કામમાં ભ્રષ્ટાચારના ગાબડા પડવાનું શરૂ


અંકલેશ્વર નેત્રંગ 37 કિમી 55 કરોડના રસ્તાના કામમાં ભ્રષ્ટાચારના ગાબડા પડવાનું શરૂ


ભરૂચ જિલ્લા સાંસદનો વિરોધ યોગ્ય હતો કહ્યું હતું શિવાલય ઈન્ફ્રા એજન્સીનું કામ ખરાબ છે

રાજ્યધોરી માર્ગમાં પાપ છુપાવવા નવા રસ્તા પરના થીંગડા મારવાનું ચાલુ થઈ ગયું

સરકારી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ એસી કચેરીમાં બેસી માત્ર વહીવટમાં મશગુલ

વર્ષો પછી રસ્તો બન્યો તે પણ માવઠું પડતા જ ગાબડા પડવા લાગ્યા તેમજ બેસી જવા માંડ્યો

રસ્તો બનતો હશે ત્યારે આર એન્ડ બી ,ગેરી અને અન્ય વિભાગે શું ચકાસ્યું હશે તે અંગે ખુલાસો કરે

ભરૂચ 11 જૂન (હિ.સ.)

અંકલેશ્વર-વાલીયા-નેત્રંગ રાજ્યધોરીમાર્ગ 37 કિમી અન્ડર સી.આઈ.આર.એફ. ઈન ધી સ્ટેટ ઓફ ગુજરાત સી.આર.એફ. વર્ક જેની ટેન્ડરની રકમ 55 કરોડ 8 લાખ હતી.આ રસ્તાની દેખરેખની જવાબદારી કાર્યપાલક ઈનજેર ભરૂચ માર્ગ અને મકાન વિભાગ ભરૂચ અને અંકલેશ્વરની હતી.જેમાં રસ્તો બનાવનાર શિવાલય ઈન્ફા. પ્રોજેક્ટસ પ્રા. લી. વડોદરાને ટેન્ડર મુજબ મશીનરી અને કામ કરવાનું હતું પરંતુ આમાં 18 માસમાં પૂર્ણ કરવાનો છે ત્યારે આ રસ્તો અંકલેશ્વર વાલિયા તૈયાર થઈ ગયો છે જ્યારે વાલિયા નેત્રંગ કામ ચાલુ છે તેમાં ખૂબ ગોબાચારી થયેલ છે.રસ્તામાં આગળ કામ થતું જાય છે ને પાછળથી ગાબડા પડવા લાગ્યા છે.

આ રાજ્યધોરીમાર્ગ 10 મીટર પહોળો 35 કિમી બે લેન અને 2 કિલોમીટર 14 મીટર પહોળો ચાર લેનનો છે જેમાં પ્રથમ સ્તરની જાડાઈ 200 મીમી સીમેંટ સ્ટેબિલાઈજેસન,બીજા સ્તરની જાડાઈ 150 મી.મી. ડબલ્યુ.એમ.એમ,ડામર સપાટીનું પહેલા સ્તરનુ કામ 65 મી.મી. ડી.બી.એમ ,40 મી.મી. બી.સી. અને આર.સી.સી બોક્સ કલવર્ટ 1 ,પાઈપના નાળા 9 ,રોડ ડીવાઈડર 1.24 મિટર ,રોડ ફર્નિચર સાઈન બોર્ડ,તેમજ પટ્ટા મારવા સહિતના દરેક કામમાં કોઈપણ ચકાસણી નહી કરાવી હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી રસ્તો બનાવી રહ્યા છે.જેને કારણે આગળ રસ્તો બનતો જાય છે ને પાછળથી તૂટતો અને બેસતો જતા ગાબડા પડી રહ્યા છે. જ્યારે કેટલીયે જગ્યાએ સામાન્ય માવઠું પડતા રસ્તો ટૂટી ગયો છે. સાઈડ સોલ્ડરમાં ક્વોરી સ્પોઇલ નાખવાની જગ્યાએ રસ્તાની બાજુની કાળી માટી ખોદીને નાખવામાં આવી છે .રસ્તામાં મારેલ સફેદ પટ્ટા ઉખડી નીકળવા માંડ્યા છે .રસ્તાના કામનું સ્પેસિફિકેશનનું બોર્ડ પણ ક્યાંય માર્યું નથી સાવ લાલિયાવાડી ચાલે છે.માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની મીલીભગત ખુલી પડી ગઈ છે અને પાપ છુપાવવા આ નવા રસ્તામાં થીંગડા મારવાનું શરૂ થઈ ગયું છે.

શિવાલય ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવી ભ્રષ્ટાચારી એજન્સીને ફરી કામ આપતા હવે તેને બ્લેકલિસ્ટ કરી દિવાળીએ આખો રસ્તો ફરી બનાવવા હુકમ કરવો જ પડશે બાકી તો સરકારી તિજોરીને ભારે નુકશાન કરશે અને લાખો વાહન ચાલકો ફરી આર્થિક, શારીરીક અને માનસિક રીતે પાયમાલ થઈ જશે તેમાં કોઈ બે મત નથી.રસ્તો બનાવવાની શરૂઆત કરી હતી ત્યારે સ્થાનિક નેતાગીરીએ એજન્સીને કીધેલું આમાં કોઈને કંઈપણ આપવાનું નથી તો કોને આપવા રસ્તો હલકી કક્ષાનું મટીરીયલ વાપરી બનાવી દેવાયો છે.

અંકલેશ્વર નેત્રંગ રસ્તાની રજૂઆત આવી છે મારી પાસે હવે તેની તપાસ કરાવી ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે.અધિકારીઓની પણ બેદરકારી જણાશે તો તેમની ઉપર પણ ખાતાકીય તપાસ કરાવવામાં આવશે .મનસુખ વસાવા સાંસદ ભરૂચ જિલ્લા, હું મારા ડેપ્યુટી ઇજનેરને કઉં છું ક્યાંય પણ થિકનેસ ઓછી હશે તો તે ચેક કરી યોગ્ય કરવામાં આવશે.ચાર દિવસ પછી હું જાતે પણ રસ્તાની વિજીટ કરીશ ખામી લાગશે તો નોટિસ આપી, ફરીથી કરાવવામાં આવશે .સુરેશ પટેલ એક્ઝિક્યુટિવ ઇજનેર આર એન્ડ બી સ્ટેટ ભરૂચ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande