પોરબંદર, 11 જૂન (હિ.સ.) : એક વર્ષ પહેલાં, એવું કોઈએ કલ્પ્યું પણ નહોતું કે પોરબંદર શહેરને હરિયાળું બનાવવા માટે શરૂ કરાયેલું ‘પોરબંદર ગ્રીન પોરબંદર’ અભિયાન આજે એવાં ઊંચાં પડાવ પર પહોંચી જશે. પોરબંદરના ઈતિહાસ સાથે આં કાર્ય જોડાય જસે ગ્રીન પોરબંદરના મુખ્ય આયોજન રામદેવભાઈ મોઢવાડીયા, પ્રવીણભાઈ ખોરાવા, કોરડીનેટર ધર્મેશભાઈ પરમાર તેમજ ડો આશિષભાઈ શેઠ, ડો દર્શકભાઈ પટેલ પિયુષભાઈ મજીઠીયા નીરજભાઈ મોનાણી ભરતભાઈ રુઘણી ધવલભાઈ જોશી નરેશભાઈ થાનકી અશોકભાઈ સોની હાર્દિક ભાઈ તન્ના મયુરભાઈ કુહાડા અશોકભાઈ ચોહાણ ઘનશ્યામભાઈ પંદિયા નીલેશભાઈ ભૂતિયા દિલીપ ભાઈ પરમાર રાજેશભાઈ કક્કડ અને સમગ્ર ટીમ દ્વારા થયેલું હતું.
આ અભિયાનની શરૂઆત નટવરસિંહ કલબમાં પૂજ્ય ભાઈના આશીર્વાદથી અને પોરબંદરના દાનવીર દાતાઓના સહયોગથી કરવામાં આવી હતી. રાજકોટની સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા દ્વારા દરેક વૃક્ષ માટે રૂ.1500 નો ખર્ચ તથા ત્રણ વર્ષ સુધી વૃક્ષની સંભાળ લેવાની જવાબદારી ઉઠાવવામાં આવી. અત્યાર સુધીનું મળેલ દાનની રકમ 1 કરોડ 25લાખ થી વધુ જેમાં પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા 50લાખ અને GTPL દ્વારા 30 લાખનું મોટું અનુદાન મળેલ છે અનેક દાતા દ્વારા પણ ખૂબ મોટું અનુદાન મળેલ છે.
આગળનો માર્ગ – સેકન્ડ ફેઝ શરૂ
અભિયાનના બીજા તબક્કાની શરૂઆત નટવરસિંહજી ક્લબ ખાતે ભવ્ય કાર્યક્રમથી કરવામાં આવી, જેમાં પોરબંદર લોકસભાના સંસદ અને કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા, રાજ્યસભાના સંસદ રામભાઈ મોકરિયા, પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી તેમજ સમગ્ર “ગ્રીન પોરબંદર” ટીમના સભ્યો ઉપસ્થિતિ જોવા મળી હતી. વિશ્વને ગ્લોબલ વોર્મિંગ જેવી પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આવી પ્રવૃત્તિઓ આવનારી પેઢીઓને સ્વચ્છ અને આરોગ્યદાયક વાતાવરણ આપવાનું વચન છે.અમે દરેક પોરબંદર વાસીઓને અપીલ કરીએ છીએ કે, જ્યાં શક્ય હોય ત્યાં વૃક્ષો વાવો, તેમની જાળવણી કરો અને “ગ્રીન પોરબંદર” અભિયાનને પોતાનું અભિયાન માનો.
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya