1 જુલાઈથી સુરતથી ચેન્નાઈ, હૈદરાબાદ અને ગોવાની ફ્લાઇટ બંધ, દિલ્હી-બેંગલુરુના શેડ્યૂલમાં ફેરફાર
સુરત, 11 જૂન (હિ.સ.)- એર ઈન્ડિયા એક્સપ્રેસે 1 જુલાઈથી સુરતથી શરૂ થતી ત્રણ મુખ્ય ફ્લાઇટ્સ — ચેન્નાઈ, હૈદરાબાદ અને ગોવા — અચાનક બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી સુરતના મુસાફરોને વિશાળ અસુવિધાનો સામનો કરવો પડી શકે છે. એરલાઇન તરફથી ફ્લાઇટ બંધ કરવાના
Surat


સુરત, 11 જૂન (હિ.સ.)- એર ઈન્ડિયા એક્સપ્રેસે 1 જુલાઈથી સુરતથી શરૂ થતી ત્રણ મુખ્ય ફ્લાઇટ્સ — ચેન્નાઈ, હૈદરાબાદ અને ગોવા — અચાનક બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી સુરતના મુસાફરોને વિશાળ અસુવિધાનો સામનો કરવો પડી શકે છે. એરલાઇન તરફથી ફ્લાઇટ બંધ કરવાના સ્પષ્ટ કારણો આપવામાં આવ્યા નથી, પરંતુ આંતરિક સૂત્રોએ એરક્રાફ્ટ રોટેશનને મુખ્ય કારણ જણાવ્યું છે.

બંધ થનારી ફ્લાઇટ્સ:

સુરત-ચેન્નઈ– રાત્રે 9:15

સુરત-હૈદરાબાદ – રાત્રે 10:30

સુરત-ગોવા – સવારે 7:50

રિશિડ્યુલ થનારી ફ્લાઇટ્સ:

સુરત-બેંગલુરુ – 1 જુલાઈથી દરરોજ સેવા

સુરત-દિલ્હી:

રાત્રે 11:25 (મંગળવાર, ગુરુવાર, શનિવાર)

સવારે 6:10 અને બપોરે 2:10 (2 જુલાઈથી બુધવાર, શુક્રવાર, રવિવાર, સોમવાર)

બપોરે 1:00 (1 જુલાઈથી મંગળવાર, ગુરુવાર, શનિવાર)

બદલાવ પાછળનું કારણ:

એરક્રાફ્ટ રોટેશન: એક જ વિમાનને વિવિધ રૂટ પર ચલાવવા માટેનો આયોજન.

દિલ્હી એરપોર્ટ રનવેમાં ફેરફાર: જેના કારણે ફ્લાઇટ સમયપત્રકમાં સમાયોજનો કરવા પડ્યા.

મહત્વપૂર્ણ છે કે મુસાફરો હવે પ્રવાસ યોજનાઓનું પુનઃવિચાર કરવું પડશે અને તેમના સમયપત્રક પ્રમાણે બુકિંગ અપડેટ કરાવવું જરૂરી બનશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande