નવસારી, 11 જૂન (હિ.સ.)- નિયામક આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.કાજલ મઢીકરના માર્ગદર્શન હેઠળ 100 દિવસ યોગ દિવસ ઉજવણીના ભાગરૂપે આયુષ્માન આરોગ્ય મંદિર(આયુષ) મરોલી અને તવડી દ્વારા આજરોજ કસ્તુરબા સેવાશ્રમ સંચાલીત મીઠુબેન પીટીટ વ્યસન મુક્તિ કેન્દ્ર મરોલી ખાતે યોગ સમાવેશ થીમ અંતર્ગત મેન્ટલ હેલ્થ અને ડ્રગ એડિક્ટ પ્રોગ્રામ અંતર્ગત યોગ સેશનનું આયોજન કરવામા આવ્યું હતું.
જે અંતર્ગત મેડીકલ ઓફીસર ડૉ.રાજેશ માણીયા તથા ડૉ.ખ્યાતિ પટેલ દ્વારા માનસીક સ્વાસ્થ્ય માટે યોગ અને પ્રાણાયમનું મહત્વ સમજાવી, યોગ શિક્ષક કલ્પેશ પ્રજાપતિ, આનંદ નાયકા તથા ભારતી દેસાઇ દ્વારા યોગ અને પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે