પાટણમાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો: ભત્રીજો જમાઈ આરોપીની ધરપકડ
પાટણ, 11 જૂન (હિ.સ.) : પાટણ શહેરના સંખારી રોડ પર આવેલી વૃંદાવન સોસાયટીમાં 6 જૂન, 2025ના રોજ વૃદ્ધા ગોદાવરીબેન પરમારના હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. તેમને દુપટ્ટા વડે ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. શરૂઆતમાં અકસ્માત મોતનો કેસ નોંધાયો હતો, પરંતુ પોસ્ટ
પાટણમાં વૃદ્ધાની હત્યા પાછળ ભત્રીજો જમાઈ


પાટણમાં વૃદ્ધાની હત્યા પાછળ ભત્રીજો જમાઈ


પાટણ, 11 જૂન (હિ.સ.) : પાટણ શહેરના સંખારી રોડ પર આવેલી વૃંદાવન સોસાયટીમાં 6 જૂન, 2025ના રોજ વૃદ્ધા ગોદાવરીબેન પરમારના હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. તેમને દુપટ્ટા વડે ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. શરૂઆતમાં અકસ્માત મોતનો કેસ નોંધાયો હતો, પરંતુ પોસ્ટમોર્ટમમાં હત્યાની પુષ્ટિ થઈ.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી યોગેશકુમાર રતીલાલ મકવાણા ગોધાવરીબેનનો ભત્રીજો જમાઈ છે અને મહેસાણા ખાતે શિવમ હેરિટેજ સોસાયટીમાં રહે છે. તે આર્થિક મુશ્કેલીમાં હતો અને મૃતક સાથે ઘરકંકાસ પણ હતો. ઘરમા રોકડ અને દાગીનાની માહિતી હોવાથી તેણે બપોરના સમયે એકલતાનો લાભ લઈ હત્યા કરી.

લોકલ ક્રાઈમ બ્રાન્ચે આરોપી પાસેથી રૂ. 5,03,008ના સોનાના દાગીના અને રૂ. 5,000નો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. હાલ પાટણ સિટી બી ડિવિઝન પોલીસ વધુ તપાસ કરી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande