પોરબંદર, 11 જૂન (હિ.સ.) : ભારતીય જનતા પાર્ટી પ્રદેશની સુચના મુજબ સંગઠનના દરેક મંડળના શક્તિકેન્દ્રના સંયોજકોની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં શક્તિકેન્દ્રના સંયોજકોને સંગઠનનું માર્ગદર્શન અને આગામી સંગઠનના કાર્યક્રમો બુથ સુધી લઇ જાવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પોરબંદરના 6 મંડળમાં આ બેઠકો થઈ હતી. સવારે કુતિયાણા શહેર અને કુતિયાણા તાલુકાની બેઠક હતી ત્યાર બાદ રાણાવાવ શહેર અને રાણાવાવ તાલુકાની બેઠક હતી તેમજ બોપર બાદ પોરબંદર શહેર અને પોરબંદર તાલુકાની બેઠકોમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને અસારવા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય પ્રદીપભાઈ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ ડો .ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા, સિનિયર આગેવાન કેતનભાઈ દાણી, તમામ મંડળ પ્રમુખ, મહામંત્રી અને સિનિયર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ બેઠકોમાં શક્તિકેન્દ્રના સહયોજકોને પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ અસારવાના પૂર્વ ધારાસભ્ય પ્રદીપભાઈ પરમાર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya