પોરબંદર, 11 જૂન (હિ.સ.) : છેલ્લા આઠ એક વર્ષથી બાલુબા કન્યા વિદ્યાલયનું બિલ્ડીંગ ડેમેજ હોવાથી શાળા બંધ કરેલી હતી, જેને કારણે વિદ્યાર્થીનીઓ બાલુબા વિજ્ઞાન ભવનમાં બેસતા બાલુબા એલ્યુમની દ્વારા આ કામ શરૂ કરવામાં
આવેલ અને મુખ્ય દાતાઓ અને ભૂ .પૂ. વિદ્યાર્થીનીઓના દાનથી આ શાળા આજે અત્યાધુનિક અને અદ્યતન રીતે તૈયાર થઈ ગઈ છે, અને તેના મુખ્ય બિલ્ડિંગનું કામ હેરિટેજ રીતે જ રાખવામાં આવ્યું છે અને આ શાળા તૈયાર થતા હવે આ સત્રથી તેમાં બાલુબા દીકરીઓ ભણવા બેસી શકશે.
એલ્યુમની દીકરીઓએ આ શાળાનું નવિનીકરણ આ નાની પોરબંદરની વિદ્યાર્થીનીઓ માટે જ કરેલું હોય તેમણે નક્કી કર્યું કે આ શાળાની શરૂઆત આ વિદ્યાર્થીનીઓના હાથે જ થાય અને કિલ્લોલ કરતી ફરી પોતાની કારકિર્દીના વિદ્યામંદિરમાં પોતાનું સ્થાન ગ્રહણ કરે અને શાળાનું નામ રોશન કરે. તારીખ 12 -6 -2025 ના સવારે 10:00 કલાકે આ વિદ્યાર્થીનીઓ દ્વારા એમની શાળાનું પૂજન કરી અને આ ફરીથી આ શાળાના ક્લાસમાં બેસવા જશે. આ દરમિયાન આ શાળાના પોરબંદર એની આજુબાજુના વિસ્તાર કે પોરબંદરમાં હાજર હોય તેવી બહાર વસવાટ કરતી બહેનોને પણ બાલુબા એલ્યુમની પરિવાર આમંત્રણ પાઠવામા આવ્યુ છે. આપ સૌ આવો અને શાળાનું દર્શન કરો અને નવી બનેલી શાળા કેવી છે તે જુઓ અને આ દીકરીઓનો ફરી પોતાની શાળામાં જવાનો આનંદ પણ જોવા માટે નિમંત્રણ પાઠવામા આવ્યુ છે.
આ શાળામાં હાલ 14 ક્લાસ, લાઇબ્રેરી ત્રણ હોલ સાથે ટીચર્સ રૂમ અને ઓફિસ ચાર ગેલેરી તમામ રીનોવેટ થઈ ગયા છે, લગભગ 5000 ફૂટનું બાંધકામ નવું કરવામાં આવ્યું છે સાથે શાળાની જૂની લાદીઓ જે ખાડાવાળી હતી એની જગ્યાએ નવી લાદીઓ પણ નાખવામાં આવી છે. લાકડું અને જર્જરીત અને ઉધઇ થી ખરાબ હતું તે અને તમામ લાકડાનું ફર્નિચર એ ખરાબ હતું તે કાઢી અને નવા લાકડાને બારી બારણા તેમજ ફર્નિચર અને લોખંડનો ફર્નિચર કબાટો ટેબલ ખુરશી વગેરે નવા લઈ આપવામાં આવેલ છે.
લાઇબ્રેરીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી દીધેલ છે, આ સાથે લાઈટ પંખા થી માંડી ફાયર સેફટી, પાણીની વ્યવસ્થા, પાણીના કુલર અને 18 જેટલા ટોયલેટ બાથરૂમ પણ બનાવામા આવ્યા છે.
કોમ્પ્યુટર વોલ પણ એસી કરી આપવામાં આવેલ છે કામ ખૂબ જ અઘરું હતું અને મોટું હતું ખર્ચાળ હતું. ધાર્યા કરતા ત્રણ ગણા ખર્ચમાં હતો છતાં અમારા દાતાઓ તેમજ અમારી ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ દ્વારા આકાર કાર્ય સંપૂર્ણ કરવામાં આવ્યું.શાળામાં રંગ રોગાન પણ સરસ રીતે કરેલું છે પણ આ જુનવાણી પણ હોવાથી થોડી ઘણી તકલીફ થયા કરે છે પણ ઈશ્વરની દયા હશે તો આ બધું સારું થતું રહેશે.
આ સંપૂર્ણ કાર્ય પોરબંદરના ખ્યાતના અને હોશિયાર એવા એન્જિનિયર ફ્રી આકાશભાઈ વિઠલાણી દ્વારા કરાવવામાં આવ્યું છે. નવયુગ એજ્યુકેશન સોસાયટીના સંસ્થાના પ્રમુખ સામંતભાઈ વડોદરા તથા મંત્રી હરીશભાઈ મહેતા તથા અન્ય ટ્રસ્ટીઓ તથા આચાર્ય દ્વારા પણ આ કાર્યમાં ખુબ મદદ થઈ છે જેથી કરીને એલ્યુમની પરિવારનું કામ ઘણું સરળ થયું છે તેમ દુર્ગા બેન લાદીવાળા અને નિધિ શાહની યાદીમા
જણાવ્યુ છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya