કુકરાણા ગામમાં સિકોતર માતાજીના મંદિરમાં ચોરીની ઘટના
પાટણ, 11 જૂન (હિ.સ.)હારીજ તાલુકાના કુકરાણા ગામના રબારી વાસમાં આવેલી સિકોતર માતાજીનો મંદિરમાં ચોરીની ગંભીર ઘટના સામે આવી છે. મોડી રાત્રે તસ્કરે રહેણાંક મકાનની ખુલ્લી ઓસરીમાં આવેલા મંદિરમાં ઘુસી દાનપેટીમાંથી રોકડ રકમ અને માતાજીના ચાંદીના સત્તર ચોરી ગયા
કુકરાણા ગામમાં સિકોતર માતાજીના મંદિરમાં ચોરીની ઘટના


પાટણ, 11 જૂન (હિ.સ.)હારીજ તાલુકાના કુકરાણા ગામના રબારી વાસમાં આવેલી સિકોતર માતાજીનો મંદિરમાં ચોરીની ગંભીર ઘટના સામે આવી છે. મોડી રાત્રે તસ્કરે રહેણાંક મકાનની ખુલ્લી ઓસરીમાં આવેલા મંદિરમાં ઘુસી દાનપેટીમાંથી રોકડ રકમ અને માતાજીના ચાંદીના સત્તર ચોરી ગયા હતા. તસ્કરે લોખંડના હથિયાર વડે મંદિરને નુકસાન પણ પહોંચાડ્યું હતું અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો.

આ ઘટનાની જાણ થતાં કુટુંબીજનો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કુમાર પરિવારમાં કુલદેવી તરીકે પૂજાતી માતાજીના મંદિરને જમીનદોસ્ત હાલતમાં જોઈને નાણેચા સમાજ અને પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાયો હતો.

નાણેચા ગોવિંદભાઈએ તરત હારીજ પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળની મુલાકાત લઈને તપાસ શરૂ કરી છે અને હાલમાં તસ્કરની શોધખોળ ચાલી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande