પોરબંદર, 12 જૂન (હિ.સ.)કુતિયાણા તાલુકામાં યુવાને આગમ્ય કારણોસર ગળાફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.મૃતક યુવાનના પિતા એ કુતિયાણા
પોલીસ સ્ટેશન ખાતે આપઘાત મામલે ફરિયાદ નોંધાવી છે.
પોરબંદર જિલ્લામાં અવારનવાર આપઘાતના બનાવો સામે આવતા હોય છે.ત્યારે કુતિયાણા તાલુકાના બાવડાવદર ગામે રહેતા મનસુખભાઇ પોલાભાઈ ખાણીયા નામના ના 25 વર્ષીય યુવાને અગમ્ય કારણો સર પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.યુવાને ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.સારવાર દરમિયાન યુવાનનું મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.સમગ્ર મામલે યુવક ના પિતા પોલાભાઈ મેંણદભાઈ ખાણીયાએ કુતિયાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.પોલીસે આપઘાત મામલે તાપસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya