શક્તિ પીઠ અંબાજી ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતીમાં અંબાજી ખાતે ૧૦૦૮ બહેનો દ્વારા એકસાથે સિંદૂર વૃક્ષનું કરશે વાવેતરઓપરેશન સિંદૂરની યાદમાં અંબાજી ખાતે બનશે સિંદૂર વન
અંબાજી,12જુન (હિ. સ) આગામી 14 જૂન 2025ના રોજ યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતીમાં ભવ્ય સિંદૂર વન કાર્યક્રમ યોજાવાનો છે. આ પ્રસંગે 1008 બહેનો દ્વારા સિંદૂર વૃક્ષનું એક
Ambaji ma sindur van banavashe


અંબાજી,12જુન

(હિ. સ) આગામી 14 જૂન 2025ના રોજ યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી

ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતીમાં ભવ્ય સિંદૂર વન કાર્યક્રમ યોજાવાનો

છે. આ પ્રસંગે 1008 બહેનો

દ્વારા સિંદૂર વૃક્ષનું એકસાથે વૃક્ષારોપણ કરવામાં આવશે, જે શૌર્ય, આધ્યાત્મિક તથા પર્યાવરણ સંરક્ષણના

દૃષ્ટિકોણે અનોખું પગલું સાબિત થશે. ભારતીય સેના દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં

આવેલા ‘ઓપરેશન

સિંદૂર’ના

સન્માનમાં ગુજરાત સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. જે અંતર્ગત બનાસકાંઠા

જિલ્લાના પ્રસિદ્ધશક્તિ પીઠ અંબાજી ખાતે સિંદૂર વનનું નિર્માણ કરાશે.

કાર્યક્રમના સુચારુ આયોજનને લઈને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર

પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે સંબંધિત અધિકારીઓની બેઠક મળી હતી. બેઠકમાં જિલ્લા

કલેક્ટરએ જણાવ્યું હતું કે, “સિંદૂર વન કાર્યક્રમ એ માત્ર વૃક્ષારોપણ નથી, પણ તે શૌર્ય, સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને પર્યાવરણ પ્રત્યેની

સંવેદનાને ઉજાગર કરે છે. તેથી દરેક વ્યવસ્થાઓ સુચારુ રીતે ગોઠવાય તે માટે

કલેક્ટરશ્રી દ્વારા સબંધિત અધિકારીઓને સૂચન કરાયા હતા. બેઠકમાં જિલ્લા વિકાસ

અધિકારી એ એમ.જે.દવે, વન સંરક્ષક ચિરાગ અમીન, અધિક જિલ્લા કલેક્ટર સી.પી.પટેલ સહિત સબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત

રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande