અમદાવાદ, 12 જૂન (હિ.સ.) : અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી (અટકાયત, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ, 2013 અંગેનો કાયદાકિય માર્ગદર્શક અને જાગૃતિ સેમિનાર શારદાબહેન હોસ્પિટલ, સરસપુર ખાતે યોજાયો હતો.
આ સેમિનારમાં હોસ્પિટલના કર્મચારીઓ અને અધિકારીઓને ગૌરવભાઈ ઠક્કર દ્વારા મહિલાઓની જાતિય સતામણી(અટકાયત, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ, 2013 વિશેની સંપૂર્ણ સમજ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં શારદાબહેન હોસ્પિટલ કમિટિના ડે. ચેરમેન અનસુયાબહેન પટેલ, હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. સંતોષભાઈ, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી વૃતિકાબહેન વેગડા, 'સંકલ્પ' હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વિમન યોજનાના જેન્ડર સ્પેશિયાલિસ્ટ જીતેશ સોલંકી અને ફાઈનાન્સ ઈન લીટ્રેસી હેમલબહેન બારોટ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ