કુતિયાણા નજીક અકસ્માતમાં બે લોકોન મોત.
પોરબંદર, 12 જૂન (હિ.સ.)પોરબંદરના કુતિયાણા નજીક કારે બાઇકે ઠોકર મારતા બે લોકોના મોત થયા હતા. પોરબંદર-રાજકોટ નેશનલ હાઇવે કુતિયાણા નજીક પર અકસ્માતની ઘટના બની હતી જેમા બે લોકોએ જીવ ગુમાવતા ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી કારના ચાલકે બાઇકને ઠોકર મારતા આ અકસ્
કુતિયાણા નજીક અકસ્માતમાં બે લોકોન મોત.


કુતિયાણા નજીક અકસ્માતમાં બે લોકોન મોત.


પોરબંદર, 12 જૂન (હિ.સ.)પોરબંદરના કુતિયાણા નજીક કારે બાઇકે ઠોકર મારતા બે લોકોના મોત થયા હતા.

પોરબંદર-રાજકોટ નેશનલ હાઇવે કુતિયાણા નજીક પર અકસ્માતની ઘટના બની હતી જેમા બે લોકોએ જીવ ગુમાવતા ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી કારના ચાલકે બાઇકને ઠોકર મારતા આ અકસ્માત સર્જાયો હતો.પોરબંદર-રાજકોટ નેશનલ હાઇવે પર આવેલા કુતિયાણા બાયપાસ દેવાંગી હોટલ નજીક આજે બપોરના અકસ્માત સર્જાયો હતો કુતિયાણા નજીકના કાંસાબડ ગામે રહેતા લીલાભાઇ ઓડેદરા (ઉ.વ 53) અને નાગાભાઇ ઓડેદરા (ઉ.વ 50)નામના વ્યકિત મોટરસાયકલ લઇ અને કુતિયાણા બાયપાસ રોડ પર હામદપરા રોડ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યા ચાર રસ્તા પાસે પુરપાટ આવતી કાર જીજે 04 સીઆર 8668 ના ચાલકે મોટરસાયકલની જોરદાર ઠોકર મારતા મોટરસાયકલ પર સવાર બન્ને રોડથી નીચે પટકાયા હતા જેમાં લીલીભાઇ ઓડેદરાનુ ઘટના સ્થળ મોત થયુ હતુ જયારે નાગાભાઇ ઓડેદરાને ગંભીર ઇજા પહોચતા તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા જયાં સારવાર દરમ્યાન મોત થયુ માર્ગ અકસ્માતમા બે લોકોના મોત થતાં નાના એવા કાંસબડમા શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande