સુરતમાં દુકાનના બહાને ભટારના મુસ્તુફા બંદુકવાલા સાથે 1.50 કરોડની છેતરપિંડી
સુરત, 13 જૂન (હિ.સ.)- ભટાર રોડ, રૂપાલી નહેર પાસે રહેતા વેપારી સાથે છેતરપિંડીનો બનાવ બન્યો છે. જરીવાલા દંપતિઍ તેમની રિંગરોડ ખાતે ઍમ્પાયર સ્ટેટ બિલ્ડિંગના છઠ્ઠા માળે આવેલ દુકાનનો વેપારી સાથે સોદો કરી તેમની પાસેથી 1.50 લાખ પડાવી લીધા બાદ દસ્તાવેજ બનાવ ન
સુરતમાં દુકાનના બહાને ભટારના મુસ્તુફા બંદુકવાલા સાથે 1.50 કરોડની છેતરપિંડી


સુરત, 13 જૂન (હિ.સ.)- ભટાર રોડ, રૂપાલી નહેર પાસે રહેતા વેપારી સાથે છેતરપિંડીનો બનાવ બન્યો છે. જરીવાલા દંપતિઍ તેમની રિંગરોડ ખાતે ઍમ્પાયર સ્ટેટ બિલ્ડિંગના છઠ્ઠા માળે આવેલ દુકાનનો વેપારી સાથે સોદો કરી તેમની પાસેથી 1.50 લાખ પડાવી લીધા બાદ દસ્તાવેજ બનાવ નહી આપી છેતરપિંડી કરી હતી.

ગ્લેમેર એપાર્ટમેન્ટ, ડી.કે.પાર્ક. સોસાયટીની બાજુમાં રૂપાલી નહેર પાસે ભટાર રોડ ખાતે રહેતા અને વેપાર ધંધા સાથે સંકળાયેલા મુસ્તુફા ફકરૂદીન બંદુકવાલા (ઉ.વ.46)એ રિંગરોડ સ્થિત એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગના છઠ્ઠા માળે આવેલ દુકાન રાજેશ જયંતીલાલ જરીવાલા અને મિનાક્ષીબેન રાજેશ જરીવાલા (રહે, અંજન સલાકા એપાર્ટમેન્ટ, લાલ બંગલો, અઠવાલાઈન્સ)નો 1.50 કરોડમાં સોદો કર્યો હતો. આ પૈસા તેઓએ ગત તા 8 જાન્યુઆરી 2016 થી 20 એપ્રિલ 2016 સુધીમાં ચુકવી આપ્યા હતા. છતાંયે જરીવાલા દંપતિએ આજદીન સુધી દુકાનનો દસ્તાવેજ કરી નહી આપી તેમની સાથે છેતરપિંડી કરી હતી. આખરે મુસ્તુફા બંદુકવાલાએ આ મામલે ગતરોજ ફરિયાદ નોધાવતા ક્રાઈમ બ્રાન્ચે જરીવાલા દંપતિ સામે ગુનો દાખલ કરી તપાસ ઈકો સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande