પાટણ, 13 જૂન (હિ.સ.) : પાટણના છીંડીયા દરવાજા વિસ્તારમાં રહેતા 61 વર્ષીય નિવૃત્ત અધિકારી અરવિંદ પટેલ, જે વાપીની કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી નિવૃત્ત થયા હતા અને શેરબજારમાં રોકાણ કરતા હતા, તેઓ સાથે 1.17 કરોડ રૂપિયાની મોટી સાયબર છેતરપિંડી થઈ છે.
તા. 1 માર્ચથી 10 એપ્રિલ 2025 દરમિયાન 9 જેટલા ઠગોએ ‘આસ્ક ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ લિમિટેડ’ નામની કંપનીના નામે ઈમેઈલ મોકલી તેઓને 20 ટકા નફાનો વાયદો આપ્યો હતો. વિશ્વાસ જીતવા માટે ઠગોએ પ્રથમ રૂપિયા 2.05 લાખ પાછા આપ્યા અને પછી તેમની ખાતીમાં રૂ. 4.70 કરોડનો નફો બતાવ્યો. તે રકમ ઉપાડવા માટે 15%, 50% અને છેલ્લે 100% ટેક્સ ભરવાનું કહ્યું હતું.
આ દુશ્કર્મથી શંકા જતા અરવિંદભાઈએ તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી હતી. પાટણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના PI પી.વી. વસાવા ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર