પાટણ, 13 જૂન (હિ.સ.) : પાટણના વૃંદાવન સોસાયટીમાં રહેતા વૃદ્ધ મહિલા ગોદાવરીબેન પરમારની હત્યાના કેસમાં મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. મહેસાણાના યોગેશ રતિલાલ મકવાણાએ પોલીસે ધરપકડ કર્યા બાદ કબૂલાત કરી છે કે તેણે ગોદાવરીબેન પાસે પૈસાની માગણી કરી હતી, પરંતુ તેઓએ ના પાડી, તેથી ગુસ્સામાં આવી તેમને દુપટ્ટાથી ગળે ટૂંપો આપી હત્યા કરી નાખી હતી.
અહેવાલ મુજબ, ગોધાવરીબેન ઘટના સમયે ઘરમાં એકલા રહેતા હતા. હત્યા બાદ યોગેશે ગુનાના પુરાવા છુપાવવા માટે દુપટ્ટો શાકુંતલ સોસાયટી નજીક રોડ પર ફેંકી દીધો હતો. બી ડિવિઝનના પીઆઈ પી.ડી. સોલંકીના જણાવ્યા મુજબ, પોલીસે હત્યામાં વપરાયેલો દુપટ્ટો ત્યાંના એક ઝાડની નીચેથી કબજે કર્યો છે.
અત્યારે આ દુપટ્ટા પર રહેલા ડાઘોની એફએસએલ તપાસ કરવામાં આવશે. આરોપી યોગેશને પાટણ કોર્ટમાં રજૂ કરાયો હતો અને કોર્ટે તેને બે દિવસના રિમાન્ડ પર મોકલ્યો છે. પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર