અંબાજી,16જુન
(હિ. સ) યાત્રાધામ અંબાજી ના જનરલ હોસ્પિટલ ને 50 બેડથી વધારીને સરકારે 100
બેડ ની મંજૂરી આપીને અપગ્રેડ
કરી દેવામાં આવી છે, અંબાજી આસપાસમાં કોઈ અન્ય મોટી હોસ્પિટલ નથી ને ઓ પી ડી ની સંખ્યા
તેમજ પ્રસ્તુતાની સંખ્યા પણ દિન પ્રતિદિન વધતી જતી હતી તેમ જ અંબાજી આસપાસ બનતી
અકસ્માતાનીઘટના પણ
વારંવાર બનતી હોય છે તેવામાં અંબાજીની હોસ્પિટલમાં માત્ર 50 બેડની સુવિધા હોવાથી અને સ્ટાફ પણ ઓછો
હોવાના કારણે મહત્તમ કેસ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવા પડતા હતા તેને લઈ
અંબાજી જનરલ હોસ્પિટલ ન સુપ્રિન્ટેન્ડેટ ડૉ વાય કે મકવાણા દ્વારા સરકારને કરાયેલી
સબળ રજૂઆતના પગલે અંબાજીની હોસ્પિટલને અપગ્રેડ કરીને 100
બેડ ની કરી દેવામાં આવી છે.
સાથે ડાયાલિસિસ જેવી સુવિધામાં પણ વધારો કરાયો છે, આ વિસ્તાર ની આદિવાસી મહિલાઓની
પ્રસુતિ વખતે મહત્તમ લોહીની વિશેષ જરૂર પડતી હોવાથી પાલનપુર થી મંગાવું પડતું હતું
પણ હવે આ સુવિધામાં પણ વધારો કરી આ હોસ્પિટલમાં બ્લડ સ્ટોરેજ સાથે બ્લડ બેન્કની પણ
અંબાજી ખાતે મંજૂરી આપી દેવામાં આવી છે, જેને લઈને ખાસ કરી અંબાજી હોસ્પિટલમાં. પાલનપુર ની પેથાણીવોલેન્ટરી બ્લડ બેન્ક ના
સંયુક્ત પણે આજે યોજેલા બ્લડ ડોનેશન કેમ્પ માં હોસ્પિટલ ની સ્ટાફ ,ગ્રામજનો સહિત અનેક લોકોએ બ્લડ ડોનેશન
કેમ્પમાં ભાગ લઈરક્તદાન
કર્યું હતું અને હવે 100 બેડ ની હોસ્પિટલ કરાતાનિષ્ણાત તબીબો સહિત સ્ટાફમાં પણ વધારો
થશે જેને લઇ પાલનપુર રીફર કરાતા કેસ મહત્તમ માં ઘટાડો થશે તેમ અંબાજી હોસ્પિટલ ના
સુપ્રિટેન્ડેટ.ડો. વાય કે મકવાણા ,જનરલ હોસ્પિટલ અંબાજીએ જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ