પોરબંદર, 17 જૂન (હિ.સ.)સમય ગ્રુપ દ્વારા પોરબંદરમાં માનવ સેવા અને અબોલ જીવ માટે અનેક સેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે. તેની સાથે સાથે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે ત્યારે તાજેતરમાં જ અમદાવાદ ખાતે વિમાનની દુર્ઘટનામાં અવસાન પામેલ તમામ મૃતકોના આત્માની શાંતિ અને ઘવાયેલ તમામ લોકો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના સાથે સમય ગ્રુપ દ્વારા સિલ્વર કોમ્પ્લેક્સ ખાતે રામધુનનું આયોજન કરવામાં આવેલ હતું.
આ રામધુનમાં સમય ગ્રુપ દ્વારા મૃતકોના આત્માની શાંતિ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી. આ તકે રામધુન બોલાવવામાં આવી હતી આ ઉપરાંત મૃતકોના આત્માની શાંતિ માટે પાંચ મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને ઈજાગ્રસ્ત લોકો જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ આયોજનમાં શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya